________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૩૦ :
ચિદ્ર વિલાસ આ (પત્ પ્રકાર) વૃદ્ધિ-હાનિ થાય છે ત્યારે અગુરુલઘુગુણ રહે છે; અગુસ્લઘુગુણથી વસ્તુની સિદ્ધિ છે. તેથી ગુણની સિદ્ધિ ગુણપર્યાયથી છે, દ્રવ્યની સિદ્ધિ દ્રવ્યપર્યાયથી છે, પર્યાયની સિદ્ધિ દ્રવ્ય-ગુણથી છે, દ્રવ્ય-પર્યાયની સિદ્ધિ દ્રવ્યથી છે (અને ) ગુણપર્યાયની સિદ્ધિ ગુણથી છે. દ્રવ્યમાંથી જ પર્યાય ઊઠે છે, (જો) દ્રવ્ય ન હોય તો પરિણામ ઊઠે નહિ. દ્રવ્ય, વગર પરિણમે દ્રવ્યરૂપ કઈ રીતે હોય? માટે દ્રવ્યથી પર્યાયની સિદ્ધિ છે. જો જ્ઞાનગુણ ન હોય તો જાણપણારૂપ કઈ રીતે પરિણમે? ગુણદ્વારા પરિણતિ છે. જેમ દ્વાર ન હોય તો કારમાં પ્રવેશ કયાંથી હોય? ગુણ ન હોય તો ગુણપરિણામ પણ ન હોય. (જો) સૂક્ષ્મ ગુણ ન હોય તો સૂક્ષ્મ ગુણનો પર્યાય ક્યાંથી હોય? આ પ્રમાણે સર્વ ગુણ વિષે જાણો. ગુણપરિણતિ ગુણમય હોય છે.
3 3ට ජීව
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com