________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુણની સિદ્ધિ પર્યાયથી જ છે
: ૨૯ :
હાનિનું સ્વરૂપ* કહીએ છીએ:
૧. સિદ્ધ પરમેશ્વર પોતાની શુદ્ધ સત્તાસ્વરૂપે પરિણમે છે, એમ કહીએ ત્યારે તેમાં અનંતગુણમાંથી એક સત્તા ગુણ આવ્યો, (તેથી ) અંનત ગુણનો અનંતમો ભાગ થયો. તે પરિણમનની જે વૃદ્ધિ ( ઉત્પાદ ) તેને અનંતભાગવૃદ્ધિ કહીએ.
૨. ભગવાનમાં અસંખ્ય ગુણની વિવક્ષા લઈને એમ કહેવું કે ભગવાન દ્રવ્યત્વ ગુણરૂપ પરિણમે છે, (ત્યારે) તેમાં અસંખ્યમાંથી એક (ગુણ ) આવ્યો; ત્યાંઅસંખ્યાતમો ભાગ થયો. તે પરિણમનની વૃદ્ધિ તે અસંખ્યાતભાગ-વૃદ્ધિ કહીએ.
૩. સિદ્ધ ભગવાનમાં આઠ ગુણ છે, તેમાં કહેવું કે સિદ્ધ સમકિતરૂપે પરિણમે છે. ત્યાં (આઠ ગુણમાંથી એક ગુણ આવ્યો એટલે ) સંખ્યા તમો ભાગ થયો, (તે પરિણમનની વૃદ્ધિ ) તે સંખ્યાતભાગવૃદ્ધિ છે.
૪. તે સિદ્ધ આઠે ગુણરૂપ પરિણમે છે, ત્યાં આઠ ગુણ પરિણમનની વૃદ્ધિ થઈ તે સંખ્યાતગુણીવૃદ્ધિ કહીએ.
૫. સિદ્ધ અસંખ્યાત ગુણરૂપ પરિણમે છે ત્યાં અસંખ્યગુણ પરિણમનની વૃદ્ધિ થઈ તે અસંખ્યગુણીવૃદ્ધિ કહીએ.
૬. સિદ્ધ અનંતગુણરૂપ પરિણમે છે ત્યાં અનંતગુણ પરિણમનની વૃદ્ધિ થઈ તે અનંતગુણી વૃદ્ધિ કહીએ.
એ છ પ્રકારની વૃદ્ધિવડે પરિણામ વસ્તુમાં લીન થઈ ગયા ત્યારે ષટ્ પ્રકાર હાનિ (વ્યય ) કહીએ.
* અહીં માત્ર દષ્ટાંતરૂપ કથન છે, અગુરુલઘુગુણનું સૂક્ષ્મ પરિણમન તો આગમગમ્ય છે, વચન અગોચર છે. જુઓ, આલાપપદ્ધતિ પૃ. ૮૯.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com