________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૨૦ :
| ચિદ્ર વિલાસ પોતાના લક્ષણને ધારણ કરે છે તેથી પરિણામનું સુખ નવું કહીએ (અ) જ્ઞાનનું સુખ યુગપત્ છે જ્ઞાનની અન્વય અને યુગપરૂપ શક્તિ છે, તેના પર્યાયની વ્યતિરેકરૂપ શક્તિ છે, તે) વ્યાપક રૂપ થઈને અન્વયરૂપ થાય છે. અન્વય યુગપત છે એકેક સમયના પરિણામદ્વારમાં આવે છે, તેને પરિણમેલું જ્ઞાન કહે છે, અથવા જ્ઞાનરૂપે જ્ઞાન પરિણમે છે ત્યારે વ્યતિરેક શક્તિરૂપ જ્ઞાન થાય છે. અન્વય-વ્યતિરેક પરસ્પર એક બીજારૂપ થાય છે (અર્થાત્ તે બન્ને અવિનાભાવીરૂપ છે, ) તેથી ( જ્ઞાનનું) પરમ લક્ષણ જે વેદકતા, તેમાં (તે બન્ને) છે. વેદકતા (જાણવાપણું) પરિણામથી (છે); પરિણામ, દ્રવ્યત્વગુણના પ્રભાવથી દ્રવ્યગુણના આકારે થાય છે (અને ) દ્રવ્યગુણો પર્યાયના આકારે થાય છે. આ પ્રમાણે જ્ઞાનના ઘણા ભેદો સધાય છે. (અહીં, ) જ્ઞાનનું લક્ષણ જાણપણું છે તે નિશ્ચિત થયું. તેનો બીજો વિસ્તાર છે.
(પૂર્વે જ્ઞાન વિષે સાત ભેદ કહ્યા હતા તેમાંથી નામ અને લક્ષણ એ બે ભેદનું વિવેચન અહીં પૂરું થયું. હવે ત્રીજા ભેદનું વિવેચન કરે છે.)
હવે જ્ઞાનનું ક્ષેત્ર કહીએ છીએ.
૩. ક્ષેત્ર- ( જ્ઞાનનું ક્ષેત્ર) અસંખ્યાત પ્રદેશ ભેદ વિવક્ષામાં કહીએ. અને અભેદમાં જાણનમાત્ર વસ્તુનું સત્ત્વ (જેટલામાં છે તેટલું) ક્ષેત્ર છે.
૪. કાળ- જેટલી જ્ઞાનની મર્યાદા છે તેટલો જ્ઞાનનો કાળ છે. (સામાન્ય અપેક્ષાએ જ્ઞાનનો કાળ અનાદિઅનંત છે અને વિશેષ અપેક્ષાએ જ્ઞાનનો કાળ એક સમય છે. )
૫. સંખ્યા- જ્ઞાન માત્ર વસ્તુ સામાન્યતાથી એક છે (અને )
* જાઓ, ગુજO પ્રવચનસાર ગા. ૧૧૧ ટીકા. પૃ. ૧૯૨.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com