________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનંત સંસા૨ કેમ મટે ?
કોઈ કહે કે સંસાર અનંત છે. તે કેમ મટે ?
તેનું સમાધાન-વાંદરાનું ફસાવું એટલું જ છે કે મૂઠી છોડતો નથી; પોપટનું ફસાવું એટલું જ છે કે નળીને છોડતો નથી. કૂતરાનું ફસાવું એટલું જ છે કે તે ભસે છે. કોઈ ત્રણ વાંકવાળી દોરડીમાં સર્પ માને છે. ત્યાં સુધી જ (તેને) ભય છે. મૃગ, મૃગજળમાં જળ માનીને દોડે છે, તેથી જ દુ:ખી છે. તેમ આત્મા પરને પોતારૂપ માને છે, એટલો જ સંસાર છે, ન માને તો મુક્ત જ છે. જેમ એક *નારીએ કાષ્ટની પૂતળી બનાવીને. તેને અલંકાર-વસ્ત્ર પહેરાવીને પોતાના મહેલમાં પથારીમાં સુવાડી રાખી, ( અને તેને ) લૂગડાથી ઢાંકી દીધી. ત્યાં તે નારીનો પતિ આવ્યો, તેણે એમ જાણ્યું કે મારી નારી શયન કરે છે, તેને હલાવે, પવન નાંખે, પરંતુ તે (પૂતળી ) તો બોલે નહિ. આખી રાત બહુ સેવા કરી. પ્રભાત થયું ત્યારે તેણે જાણ્યું કે (આ તો) કાષ્ટની (પૂતળી) છે. ત્યારે તે પસ્તાયો કે મેં જાઠી સેવા કરી. તેમ (અનાદિથી) આત્મા પર અચેતનની સેવા વૃથા કરે છે. જ્ઞાન થતાં તે જાણે છે કે આ જડ છે ત્યારે તે તેનો સ્નેહ ત્યાગે છે અને સ્વરૂપાનંદી થઈને સુખ પામે છે.
ઉપયોગની ઉઠણી (ઉત્પતિ ) સદા થાય છે, તે (ઉપયોગ) ને સંભાળે, ૫૨માં ઉપયોગ ન દે. આત્માનો ઉપયોગ જે તરફ લાગે તેરૂપ થઈ જાય છે; માટે ઉપયોગવડે પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય વિચા
*અનુભવ પ્રકાશ આવૃત્તિ બીજી પૃ. ૨૨-૨૩.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com