________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય.
હવે શિષ્ય પ્રશ્ન કરે છે કે-હે પ્રભો! એવા પરમાત્માનું સ્વરૂપ કઈ રીતે પામીએ? તે કહો. ત્યારે તે શિષ્યને પરમાત્માને પામવાના નિમિત્તે હવે કથન કરીએ છીએ. (જીવ) અંતરાત્મા થઈને પરમાત્માને ધ્યાવે છે. તે અંતરાત્મા (પણું ) ચોથા ગુણસ્થાનથી શરૂ કરીને બારમા ગુણસ્થાન સુધી છે. તેનું કથન સંક્ષેપથી લખીએ છીએ.
ચોથા ગુણસ્થાનવાળો જીવ શ્રી સર્વજ્ઞ કહેલા વસ્તુસ્વરૂપને ચિંતવે છે, તેને સમ્યકત્વ થયું છે તે સમ્યકત્વના ૬૭ ભેદ છે, તે કહીએ છીએ
સમ્યકત્વના ૬૭ પ્રકાર. (૧-૪) પ્રથમ, શ્રદ્ધાનના ચાર ભેદ છે તેના નામ પ્રથમ, પરમાર્થસસ્તવ, ૧; બીજો, મુનિત પરમાર્થ ૨. ત્રીજો, યતિજનસેવા ૩; અને ચોથો, કુદષ્ટિપરિત્યાગ ૪. એ ચાર ભેદમાંથી પહેલો ભેદ કહીએ છીએ.
૧. (પરમાર્થસંતવ-) સાત તત્ત્વો છે. તેમનું સ્વરૂપ જ્ઞાતા ચિંતવે છે. ચેતના લક્ષણ, દર્શનશાનરૂપ ઉપયોગ-આદિ અનંત શક્તિ સહિત અનંત ગુણોથી શોભિત મારું સ્વરૂપ છે; અનાદિથી પરસંયોગ સાથે મળ્યો છે, તો પણ (મારો ) જ્ઞાન ઉપયોગ
૧. મોક્ષ પ્રાભૃત ૭.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com