________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
એક સમયનાં કારણ-કાર્યમાં ત્રણ ભેદ : ૯૫ : (૨) હવે ગુણ તે પર્યાયનું કારણ છે એ કહીએ છીએ:ગુણોનો સમુદાય દ્રવ્ય છે; ગુણ વિના દ્રવ્ય ન હોય, અને દ્રવ્ય વિના પર્યાય ન હોય.-એ રીતે ગુણ તે પર્યાયનું કારણ છે.-એક તો આ વિશેષણ (-પ્રકાર) છે. અને બીજાં ગુણ વિના ગુણપરિણતિ ન હોય માટે ગુણ, પર્યાયનું કારણ છે. ગુણ પર્યાય (રૂપે ) પરિણમે છે ત્યારે ગુણપરિણતિ (એવું) નામ પામે છે, માટે ગુણ કારણ છે અને પર્યાય કાર્ય છે.
(૩) પર્યાયનું કારણ પર્યાય જ છે. ગુણ વિના જ (અર્થાત્ ગુણની અપેક્ષા વગર જ) પર્યાયની સત્તા પર્યાયનું કારણ છે; પર્યાયનું સૂક્ષ્મત્વ પર્યાયનું કારણ છે, પર્યાયનું વીર્ય પર્યાયનું કારણ છે, પર્યાયનું પ્રદેશત્વ પર્યાયનું કારણ છે. અથવા,
(૪) ઉત્પાદ-વ્યય કારણ છે (ને પર્યાય કાર્ય છે). કેમ કે ઉત્પાદ-વ્યયવડે પર્યાય જાણવામાં આવે છે માટે તે પર્યાયનું કારણ છે અને પર્યાય (તેનું) કાર્ય છે.
એ પ્રમાણે કાર્ય-કારણના ભેદ છે. વસ્તુનો સર્વરસ સર્વ સ્વકારણ કાર્ય જ છે. કારણ કાર્ય જાણ્યા તેણે સર્વ જાણ્યું. આ પરમાત્માને અનંતગુણો છે, અનંત શક્તિ છે, અનંત ગુણોના અનંતાનંત પર્યાયો છે, અનંત ચેતના-ચિહ્નમાં અનંત, અનંતાઅનંત સપ્ત ભંગ સધાય છે. આ વગેરે પ્રકારે વસ્તુનો અનંત મહિમા છે. તે (મહિમાને) કોઈ કયાં સુધી કહે? માટે જેઓ સંત છે તેઓ સ્વરૂપના અનુભવ (રૂપી) અમૃતરસ પીને અમર થાઓ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com