________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવભાવશક્તિ
સમસ્ત પદાર્થોના સમસ્ત વિશેષોને જ્ઞાન જાણે છે, તેમ જ પૂર્વે જાણ્યું હતું ને ભવિષ્યમાં જાણશે. એ (જ્ઞાન) શક્તિ જે પૂર્વે હતી તે જ શક્તિ ભવિષ્યમાં રહે છે, તેથી જ્ઞાનમાં ભાવભાવશક્તિ છે. એ પ્રમાણે દર્શનમાં જે ભાવ પૂર્વે હતો તે જ ભવિષ્યમાં રહે છે તેથી ભાવભાવશક્તિ દર્શનમાં પણ છે. જ્ઞાનમાં, દર્શનમાં એ પ્રમાણે અનંત ગુણોમાં ભાવભાવશક્તિ છે. સર્વે ગુણનો ભાવ એક એક ગુણમાં છે તેથી એક ગુણના પોતાના ભાવથી સર્વે ગુણનો ભાવ છે અને સર્વે ગુણોના ભાવથી એક ગુણનો ભાવ છે, માટે ભાવભાવશક્તિ સર્વે ગુણોમાં છે. એક ગુણમાં દ્રવ્ય-પર્યાયનો ભાવ છે અને દ્રવ્ય-પર્યાયના ભાવમાં ગુણનો ભાવ છે તેથી ભાવભાવશક્તિ કહીએ. એકેક ભાવમાં અનંતભાવ છે અને અનંતભાવમાં એક ભાવ છે. વસ્તુનો સદ્દભાવ પ્રગટવો તે ભાવ છે; એક ભાવમાં અનંત રસનો વિલાસ છે. વિલાસના પ્રભાવને પ્રગટપણે (વસ્તુ) ધારણ કરે છે, વસ્તુમાં જ અનેક અંગનું વર્ણન જિનદેવ બતાવે છે.
વસ્તુમાં અનંત ગુણ છે, એક એક ગુણમાં અનંત શક્તિ ( રૂ૫) પર્યાય છે, પર્યાયમાં સર્વે ગુણનું વેદન છે, વેદવામાં અવિનાશી સુખરસ છે. એ સુખરસના પીવાથી ચિદાનંદ અજર અમર થઈને નિવાસ કરે છે.
* જુઓ સમયસાર ગુજપૃ. ૫૦૫.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com