________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૮૪ :
ચિદ્ર વિલાસ અનાદિ અનંત, અનાદિસાંત, સાદિસાંત અને સાદિઅનંત-એ ચાર ભંગ સર્વે ગુણોમાં લાગુ પડે છે. તે કહીએ છીએ:
પ્રથમ જ્ઞાનમાં સાધીએ છીએ. (૧) જ્ઞાન વસ્તુથી અનાદિઅનંત છે. (૨) જ્ઞાન દ્રવ્યથી અનાદિ, પર્યાયથી સાંત, (એ રીતે)
અનાદિસાંત છે. (૩) જ્ઞાન પર્યાયથી સાદિસાંત છે. (૪) પર્યાયથી જ્ઞાન સાદિ, દ્રવ્યથી અનંત છે, તેથી
સાદિઅનંત છે,
એ પ્રમાણે દર્શનમાં એ જ રીતે જાણો. સત્તામાં (એ ચાર પ્રકાર) સાધીએ છીએ:
(૧) દ્રવ્ય સત્તા અનાદિઅનંત, (૨) દ્રવ્ય સત્તા અનાદિ, પર્યાયે સત્તા સાંત (એ રીતે સત્તા)
અનાદિસાંત; (૩) પર્યાયે સત્તા સાદિસાંત; (૪) પર્યાયે સત્તા સાદિ, દ્રવ્ય સત્તા તથા ગુણે સત્તા અનંત,
(એ રીતે સત્તા) સાદિઅનંત છે.
આ પ્રમાણે ( સત્તામાં ચાર ભંગ) સાધતાં પ્રશ્ન ઊઠે છે કે સત્તા તો “છે” લક્ષણવાળી છે, સાદિસાંતમાં (તો) સત્તાનો અભાવ થાય છે, ત્યાં, (સત્તાનું) “છે” (એવું) લક્ષણ રહેતું નથી.
તેનું સમાધાન કરીએ છીએ-પર્યાય સમયથાયી છે, તેની સત્તા પણ સમય માત્રની કાળમર્યાદા સુધી “છે” લક્ષણ સહિત છે. અનાદિઅનંતનો કાળ ઘણો છે તેથી પર્યાયમાં તે સંભવતો નથી. પર્યાય સમયસ્થાયી ન હોય તો ઉત્પાદ-વ્યય-ધ્રુવ એક સમયમાં સિદ્ધ ન થાય; તો ઉત્પાદ-વ્યય-ધ્રુવ વિના સત્તા હોય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com