________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬
પ્રવચન નં-૨ મુંબઈ ઝવેરી બજાર મંદિરમાં પ્રવચન નં. ૨
તા. ૨૮-૫-૭૯ પ્રતિક્રમણના બે પ્રકાર છે. એક નિશ્ચય પ્રતિક્રમણ, એક વ્યવહાર પ્રતિક્રમણ વ્યવહાર પ્રતિક્રમણ શુભભાવરૂપ છે, એમાં અશુભભાવનો ત્યાગ છે. શુભભાવરૂપ પરિણતિમાં વ્યવહાર પ્રતિક્રમણ છે. એ શુભભાવરૂપ-વ્યવહાર પ્રતિક્રમણને પરમાત્મા –ધર્માત્માઓ વિષકુંભ કહે છે. ઝેરનું ઝાડ છે, શુભભાવ છે એ પણ અશુદ્ધતાના પરિણામ છે. માટે એને વિષકુંભ કહ્યા છે. વિષ એટલે ઝેર, શુભભાવ એ ઝેર છે. એ ઝેરનું પાન કરવાથી, આત્મા સમયે-સમયે ભાવમરણ કરે છે. એટલે એમાં ચૈતન્યના પ્રાણ હણાય જાય છે. એને પરમાત્મા ભાવમરણ કહે છે. એ શુભભાવ ઝેરનું ઝાડ છે. એને પણ લક્ષમાંથી છોડીને, પોતાનો નિજ શુદ્ધઆત્મસ્વભાવ તેમાં એકાગ્ર થઈને, જે શુદ્ધોપયોગરૂપની અવસ્થા પ્રગટ થાય, એમાં-એ શુદ્ધોપયોગમાં શુભ અને અશુભ (ભાવ) રહિત એ (શુદ્ધોપયોગ) ભાવ છે. એવા શુદ્ધોપયોગરૂપભાવને પરમાત્મા પરમાર્થ એટલે નિશ્ચયે પ્રતિક્રમણ કહે છે. નિશ્ચય પ્રતિક્રમણ ચારિત્રનો એક ભેદ છે, અને મુખ્યપણે એ (ચારિત્ર) મુનિરાજોને હોય છે. અને ગૌણપણે પંચમગુણસ્થાનવર્તી શ્રાવકને પણ હોય છે.
ખરેખર તો નિશ્ચય પ્રતિક્રમણસમ્યક્દષ્ટિને હોય છે.
હવે, આપણે તો આંહીયાં પ્રથમ મિથ્યાત્વનું પ્રતિક્રમણ, બીજું અવ્રતનું પ્રતિક્રમણ ત્રીજું કષાયનું પ્રતિક્રમણ ને ચોથું યોગનું પ્રતિક્રમણ એમ ચાર પ્રકારના પ્રતિક્રમણમાં આંહીયાં આપણે લેવું છે મિથ્યાત્વનું પ્રતિક્રમણ ! આ પ્રતિક્રમણ એક સમય માત્ર પણ એણે કર્યું નથી, એને અપ્રતિક્રમણ ભાવ વર્તે છે.
અનાદિ કાળથી આત્મા સ્વભાવે અકર્તા હોવાથી, જ્ઞાતા હોવા છતાં પણ.... બધાંના આત્મા સર્વ આત્માઓ! આ સર્વજ્ઞભગવાને (જાણેલી ને) કહેલી વાત છે, પ્રત્યક્ષ જાણીને એમની વાણીમાં આવ્યું-અનંત તીર્થકરો થયાં, એ અનંતતીર્થકરો (ને) કેવળજ્ઞાન પ્રગટ થતાં, પ્રત્યક્ષ આત્માના સ્વભાવને જાણીને, (તેઓશ્રી) એમ ફરમાવે છે કે, બધા આત્માઓ નિગોદથી માંડીને સિદ્ધ સુધીના, જીવ માત્ર.... સ્વભાવે અકર્તા એટલે કે સ્વભાવે કેવળ જ્ઞાયક હોવાથી–જ્ઞાતા હોવા છતાં પણ અનાદિ કાળથી આત્મા.... પોતાને... પોતાની ભૂલથી... પોતે કર્તા ન હોવા છતાં પણ, (પરિણામોનો) હું કર્તા છું એમ માને છે તેથી એને અપ્રતિક્રમણદશા કહેવામાં આવે છે. અથવા તેને મિથ્યાત્વના પરિણામ કહેવામાં આવે છે.
એ કર્તબુદ્ધિથી જીવ અનંત-અનંતકાળથી રખડ્યો છે એથી આચાર્ય ભગવંતો ફરમાવે છે કે પ્રથમ તો મિથ્યાત્વનું પ્રતિક્રમણ કરી લે આ ભવમાં! અને વિશેષ પુરુષાર્થ ઊપડે તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com