SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates XVII ચૈતન્ય વિલાસ હોય છે. આવા બે પ્રકારના ઉપાદાન જેને ખ્યાલમાં આવે છે તેને કર્તબુદ્ધિ છૂટે અને ક્રિયાના કારકોનો જ્ઞાતા રહે. આત્મા ઉપચારથી કર્તા છે... ઉપચારથી કર્તા છે તેમ વધારે વખત કહેવામાં પણ જોખમ છે. કારણકે ઉપચારથી કર્તા છે તેમ કહેતાં જ અજ્ઞાની પ્રાણી ત્યાં ચોંટી જાય છે. તેને કર્તબુદ્ધિ હોવાથી તે ઉપચારથી કર્તાનો અર્થ પણ સમજી શકતો નથી. સાધકને પણ મુનિરાજ ચેતવે છે કે તું પણ ઉપચારથી નિર્મળ પરિણામનો આત્મા કર્તા છે તેને વારંવાર આગળ કરીશ તો સવિકલ્પદશા લંબાશે અને સંભવ છે કદાચ કૉંબુદ્ધિ પણ થઈ જાય. માટે વારંવાર આત્માને ઉપચારથી કર્તા કહેવામાં પણ જોખમ છે. આત્મા ઉપચારથી કર્તા છે તેમ કહેતાં જ અજ્ઞાની ત્યાં ચોંટી જાય છે. કર્તબુદ્ધિ હોવાથી તે સાધકના ઉપચારથી કર્તાપણાની વાતને સમજી શકતો નથી. હવે તેને એમ કહો કે: પર્યાયનો કર્તા પર્યાય છે, આત્મા અકર્તા છે તેમાં આત્મા નિરપેક્ષપણે અકર્તા છે તેમ સુરક્ષિત રહે છે. કેમકે કાર્ય સ્વયં થાય છે તેમ પરિણામની સ્વતંત્રતાને જુએ તો બીજો કરે છે તે ઉપચારને અવકાશ જ રહેતો નથી. સાધકને શા માટે કહેવું પડે છે કે હું કર્તા નથી ?! પ્રભુ! આપતો અકર્તામાં બેઠા છો ને? હું દષ્ટિની અપેક્ષાએ તો અકર્તામાં બેઠો છું, (અર્થાત્ હું અકર્તા છું.) પણ જ્ઞાનમાં કર્તા કર્મનું પરિણમન છે. એટલો વ્યવહાર ખટકે છે. માટે વ્યવહારથી કર્તા નથી તેનો નિષેધ કરે છે. ઉપચારનો નિષેધ કરે ત્યારે અંદર જવાય છે. વાહઉપચારનો નિષેધ કરી જ્યાં અંદર આવી જાય છે એટલે ત્યાં બીજું નવું અભેદ થાય છે. બીજું અભેદ ન થાય ત્યાં સુધી કેવળજ્ઞાન ન થાય. માટે સંતો કહે છે કે કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી વ્યવહારનો નિષેધ કરજે. અકર્તા-અકારક જ્ઞાયકને જાણે તે નિશ્ચય અનુપચાર છે. ભેદને જાણતાં છઠું આવ્યું તો કર્તાનો ઉપચાર આવ્યો તે વ્યવહાર પ્રતિક્રમણ છે. હવે ભેદને જાણવાનું બંધ કરતાં; ભેદની ઉપેક્ષા કરી અને ત્રિકાળી જ્ઞાયકને જાણવા ચાલ્યો જાય છે. (૧) ભેદ ઉપચાર-વ્યવહાર રત્નત્રયનાં પરિણામ તે બંધનું કારણ છે. (૨) અભેદ ઉપચાર–ભેદરૂપ નિશ્ચય રત્નત્રયના પરિણામ. (૩) અભેદ અનુપચાર–ચૈતન્ય તત્ત્વમાં લીન શુદ્ધોપયોગરૂપ ચારિત્ર. હવે કર્તબુદ્ધિ અને કર્તાનો ઉપચાર છોડાવવા આચાર્યદવ પરિણામના જ્ઞાતા છીએ તેમ પણ કહે! અને એ જ્ઞાતા ક્યારે થયો? કેઃ જેની જ્ઞાતા બુદ્ધિ છૂટી ગઈ છે તેને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008226
Book TitleChaitanyavilas
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2000
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy