SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૬ પ્રવચન નં-૨૫ (કહે છે કે ) નિજ દ્રવ્યગુણપર્યાયના સ્વરૂપમાં ચિત્તને એકાગ્ર કર્યું છે, તે ભવ્ય જીવ..તેવો ભવ્ય જીવ, નિજ ભાવથી ભિન્ન એવા સકળ વિભાવને છોડી એટલે રાગને દ્વેષને છોડીને અહીંયાં વિભાવમાં રાગ લેવો, આંહીયા વિભાવનો અર્થ: આ જ્ઞય અધિકાર ચાલે છેજ્ઞયમાં શુદ્ધપર્યાય આત્મા છે, અનુભૂતિ તે આત્મા છે- અનુભૂતિ કહો, શુદ્ધનય કહો કે શુદ્ધ આત્મા કહો એનાર્થ છે. સંવર તે આત્મા છે, પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન તે આત્મા છે આહા..હા ! કોઈ વખતે પર્યાયને પરદ્રવ્ય કહે, અને એ જ ધર્માત્મા પર્યાયને આત્મા કહે! કેવળજ્ઞાનને પારદ્રવ્ય કહે અને ભાવશ્રુતજ્ઞાનને આત્મા કહે ! બોલો! આ સ્યાદ્વાદ (નીખૂબી) જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં ત્યાં સમજવું તે, તો સમજાય તેવું છે! (કહે છે) તે ભવ્ય જીવ, નિજ ભાવથી ભિન્ન, એવા નિજભાવથી ભિન્ન છે પાંચ મહાવ્રતના રાગાદિ પરિણામ ! નિજ ભાવથી ભિન્ન એવા સકળ વિભાવને છોડીને-સકળ પ્રકારના (વિભાવ) પાંચ મહાવ્રતના પરિણામ અઠ્ઠાવીસ મૂલગુણને છોડીને, વ્યવહાર પ્રતિક્રમણના વિકલ્પને પણ છોડીને-એવા સકળ વિભાવને છોડી, અલ્પકાળમાં મુક્તિને પ્રાપ્ત કરે છે. એ આત્મા...ધ્યાનમાં ધ્યેય ભગવાન ધ્રુવને લ્ય છે ને જ્ઞાનમાં ય થઈ જાય છે દ્રવ્યગુણપર્યાય સ્વરૂપ વસ્તુ! ત્યારે ધ્યેયમાં ગુણભેદ દેખાતો નથી, અને સ્વયમાં પર્યાયનો ભેદ હોવા છતાં દેખાતો નથી. એનો એક એક દષ્ટાંત (દઈએ છીએ.) દ્રવ્ય ને પર્યાયનો તો ભેદ છે, ધ્રુવ તે ધ્રુવ ને ઉત્પાદ તે ઉત્પાદ, તે પણ ભેદ દેખાતો નથી. દેખાતો નથી એટલે શું? છે ને દેખાતો નથી તો જ્ઞાન ખોટું થશે, કે ના જ્ઞાન સાચું થશે લે! ભેદ દેખાય તો જ્ઞાન ખોટું તારું! આ વિષય જરા એવો છે સૂક્ષ્મ! કે એનો દષ્ટાંત આપું તો ખ્યાલ આવે! કહી શકાય નહી એવી વાત ! છતાં શબ્દોમાં કેટલીક ઈશારાથી કરી. પાણી મેલું છે–મેલું પાણી-પાણી મલિન છે. એમાં ફટકડી નાખી, તો મેલની પર્યાયનો તો વ્યય થઈ ગયો, મલિનપર્યાયનો વ્યય થઈ ગયો અને નિર્મળપર્યાયનો ઉત્પાદ થયો, હવે એ પાણી, એનો ગ્લાસ લીધો (એમાં) નિર્મળપર્યાયનો ઉત્પાદ એટલે નિર્મળપર્યાયપરિણત પાણીદ્રવ્ય છે. પહેલાં મલિનપર્યાયપરિણત (પાણી) દ્રવ્ય હતું. એ મલિનનો થયો વ્યય ને નિર્મળપાણીનો થયો ઉત્પાદ જે શક્તિરૂપ પાણી હતું એ તો જેમ છે તેમ અન્વયરૂપ એમાં (બને સ્થિતિમાં) છે. હવે એ પાણીના ગ્લાસમાં કોઈને કહીએ કે આ નિર્મળ પર્યાય અને પાણીનું દળ જે દ્રવ્યરૂપ છે, એને બેયને જુદા કરીને બતાવો, તો (બન્નેને) જુદા બતાવી શકે? બતાવી શકે નહીં. છતાં (બન્ને) જુદાં છે! જુદા તો છે પણ બતાવી શકતા નથી. શું કહ્યું? કે પર્યાય ને દ્રવ્ય Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008226
Book TitleChaitanyavilas
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2000
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy