SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ચૈતન્ય વિલાસ ૨૪૩ છું એવી મિથ્થાબુદ્ધિ અને અપ્રતિક્રમણ કહેવામાં આવે છે. અપ્રતિક્રમણ એટલે કર્તા બુદ્ધિ. કર્તબુદ્ધિ છૂટતાં આત્મા શાયકનો સાક્ષાત જ્ઞાતા થાય છે. આવું તેના જ્ઞાનમાં જણાય છે ત્યારે કર્તબુદ્ધિ છૂટી જાય છે. આત્માના અનુભવની આવી દશાને પરમાર્થ પ્રતિક્રમણ કહેવામાં આવે છે. એનું નામ જ સામાયિક, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચના છે. શુદ્ધાત્માનો પ્રત્યક્ષ અનુભવ થતાં; “હું જ્ઞાતા છું” એવું ભાન થાય છે. અને હું જ્ઞાતા જ છું–વિશ્વનો સાક્ષી છું એમ ભાન થતાં પરની કર્તાબુદ્ધિ છૂટી જાય છે, અને શાંતિનું વેદન આવે છે. આ ગાથા બહુ ઊંચી છે; પાંચ રત્નની એનો ટૂંકો સાર એટલો છે કે: આચાર્ય ભગવાન કહે છે કે: ભલે ગમે તે પરિણામ ઉત્પન્ન થયા, પણ એ (૧) તમામ પ્રકારના પરિણામ મારાથી ભિન્ન છે. (૨) એ કારણે એનો હું કર્તા નથી (૩) પરિણામ થવા યોગ્ય થાય છે માટે હું એનો કર્તા નથી. એમ ત્રણ પ્રકારે જાણતાં એની દષ્ટિ પર્યાય ઉપરથી છૂટી અને જ્ઞાયક ઉપર દષ્ટિ અંદરમાં આવે છે. ઉપયોગ અંદરમાં લાગે છે અને જાણે છે કે અરે ! હું તો પૂર્વે જાણનાર હતો. વર્તમાનમાં પણ હું જાણનાર છું અને ભવિષ્યકાળમાં પણ મારું અસ્તિત્વ જ્યાં સુધી રહેશે અનંતકાળ સિદ્ધદશામાં ત્યાં સુધી હું જાણવારૂપે પરિણમીશ પણ હું પરિણામના કર્તાપણે પરિણમવાનો નથી. એમ આજે સમ્યફદર્શન થતાં એની એને પ્રતીતિ આવી જાય છે. પછી કોઈ કાળે પરિણામનું કરવું એવું નહીં આવે. પરિણામ થવા યોગ્ય થાય એમ જાણતાં દષ્ટિ દ્રવ્ય ઉપર આવે છે. પરિણામ સ્થિતિ અનુસાર થાય છે. ચોથે ચોથાને અનુસાર, પાંચમે પાંચમાને અનુસાર થવા યોગ્ય થાય છે. નવતત્ત્વના પરિણામને ભૂતાર્થનથી જાણતાં અને સ્વભાવની દૃષ્ટિ આવે છે. અભૂતાર્થનાથી જાણ્યાં કે આ પરિણામને હું કરું છું આમ કરું છું અને તેમ કરું છું. આહાહા ! એ નવતત્ત્વનું શ્રદ્ધાન અભૂતાર્થનયે થયું એનું નામ મિથ્યાત્વ છે. ભૂતાર્થનયે નવતત્ત્વનું શ્રદ્ધાન થાય તેને સમ્યફદર્શન કહેવામાં આવે છે. આમ તો ચાલતી ભાષા એ છે કે નવપદાર્થનું શ્રદ્ધાન તે સમ્યકદર્શન. સાત તત્ત્વ, નવપદાર્થ એનું શ્રદ્ધાન તે સમ્યકદર્શન છે. આ એક ચાલતો પાઠ છે. હવે આમાં બે પ્રકાર છે. અભૂતાર્થનયે નવતત્ત્વને જાણે તો આત્માને મિથ્યાત્વનો દોષ લાગે છે. અભૂતાર્થનયે એટલે વ્યવહારનયે જાણે પરિણામને; પરિણામ પરિણામને કરે છે એમ ન જાણતાં-પરિણામને હું કરું છું. મારાથી પરિણામ થાય છે. પરિણામમાં ફેરફાર કરવાની શક્તિ મારામાં છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008226
Book TitleChaitanyavilas
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2000
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy