________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૩૯
ધૂતારાની ટોળી છે. ધૂતારાની ટોળીથી ચેતજે હોં! તારું કોઈ સગાવ્હાલા, ભાઈ, ભગિની ભાર્યા તારું કોઈ નથી. તારો તો એક જ્ઞાનાનંદ પરમાત્મા છે, તેનું શરણ લે! તે કોઈ દિવસ ધક્કો નહીં મારે. તું એની ગોદમાં ચાલ્યો જા ! એના શરણમાં રહે તને અનુભવ થશે.
ગુણસ્થાન ભેદોને કરતો નથી તેમાં બધા પરિણામ આવી ગયા ચૌદેય ગુણસ્થાન. ત્યારે હવે શું કરવું? આત્માએ કરવું નહીં તો શું કરવું? તમે કરવાની ના પાડો છો તો હવે કરવું શું? (સમાધાન) કેઃ જે કરનાર નથી એવા આત્માને જાણવો. અને પછી વારંવાર જાણવું અને એમાં સ્થિર થવું તો કેવળજ્ઞાન થશે. પહેલાં જાણે તો સમ્યક્દર્શન, વારંવાર જાણે તો ચારિત્ર; અને પછી બે ઘડી જાણવામાંથી બહાર ન નીકળે તો કેવળજ્ઞાન થાય. સમ્યકષ્ટિને કેવળજ્ઞાન હાથવેતમાં છે. ગુરુદેવ કહેતા હતા કે શ્રુતજ્ઞાન કેવળજ્ઞાનને બોલાવે છે આવો...આવો....! આ ગુરુદેવના શબ્દો છે.
જેની દષ્ટિમાં દ્રવ્ય આવી ગયું અને બધુંય આવી ગયું ખલાસ. જેની દષ્ટિમાં દ્રવ્ય ન આવ્યું અને પર્યાયદષ્ટિ થઈ/પર્યાયમાં આત્મબુદ્ધિ થઈ. ત્યારે તમે કરો છો શું? ચૌદ ગુણસ્થાનને કરતા નથી તો? બધુંય કરવું કાઢી નાખ્યું?! કેવળજ્ઞાન કરવાનું ય કાઢયું?! કેવળજ્ઞાનને રાખ્યું હોત તો વાંધો શું હતો?! કેવળજ્ઞાનનું કરવું કાઢયું કે કરવું માત્ર કાઢી નાખ્યું?!
તમે શું કરો છો? તમે કરો છો એ અમને કો, કહો તો અમે પણ એ કરીએ. અમે જે કરીએ છીએ એ તને કહું છું/ અમે કરનાર નથી. જે કરનાર નથી એવા શુદ્ધ આત્માને-સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું. આહાહા ! એ અમે કરીએ છીએ, અને તમે પણ આ કરો. આહાહા! તમારી પાસે વસ્તુ છે પણ.....જ્યાં સુધી કર્તબુદ્ધિ છે ત્યાં સુધી ઉપયોગ અંદરમાં આવશે નહીં. (શ્રોતા-આ પ્રેકટીકલ વાત આવી.) આ પ્રેકટીકલ વાત છે.
તો કરવું શું? કે જે કરનાર નથી તેને જાણ જે જાણનાર છે તેને જાણ! કરનાર નથી એ નાસ્તિથી વાત. કરનાર નથી એવા આત્માને જાણ ! પછી જે જાણનાર છે એને જાણ આહાહા ! તું જાણનારો છો કરનાર નથી પણ તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે.
હું ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું એટલે અંદરમાં જઈને જાણનારને જાણું છું-દેખનારને દેખું છું. હું જાણનારાને જાણું છું, તું પણ દેખનારાને દેખ! જે કરનાર નથી એવા આત્માને હું જાણું છું; તું પણ કરનાર નથી એવા આત્માને જાણ ! હું અને તું બન્ને સરખા પછી અલ્પકાળમાં મારોય મોક્ષ અને તારોય મોક્ષ.
બાકી કર્તબુદ્ધિ-જ્ઞાતા બુદ્ધિ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી સમ્યકદર્શન નહીં થાય. છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com