________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૨૭ જયપુરમાં ત્યાં સાંભળેલું હતું કે ઉપચારથી પણ નિર્મળ પર્યાયનો કર્તા નથી. આ અકર્તાપણું તે જૈનદર્શનની પરાકાષ્ટા છે. “આત્મા અકર્તા છે એ જૈનદર્શનની પરાકાષ્ટા છે.” ગુરુદેવનો જ્યારે સ્વર્ગમાં જવાનો કાળ થયો ત્યારે છેલ્લો છેલ્લો સંદેશ આપતા ગયા.
જેમ ઈશ્વરના કર્તાવાદીનો મોક્ષ થતો નથી તેમ હે શ્રમણ !? આહાહા! આ લોકોત્તર અને પેલો લૌકિક એટલો આંતરો પાડ્યો. સાચા દેવ-ગુરુ-શાસ્ત્રને માને છે, બાહ્યમાં નગ્નતા છે, અઠ્ઠાવીસમૂળગુણ પાળે છે–તે પણ નિરતિચારપણે પાળે છે, આત્મા હાથમાં આવ્યો નથી અને આત્માને કર્તા માને છે તો કહે છે કે જેમ એનો મોક્ષ નથી તેમ તારો પણ મોક્ષ સર્વજ્ઞ ભગવાને જોયો નથી. આ બધું સમયસારમાં છે હોં! બીજી ફુરસદ મળે છે પણ સમયસાર ઉઘાડવાની વાંચવાની ફુરસદ મળતી નથી. અગિયાર ભાગ ક્રમસર વાંચવા જોઈએ. અહા ! અરે ! માથે મોતના નગારા વાગે છે વાર નહીં લાગે, “રજકણ તારા રખડશે જેમ રખડતી રેત પછી નરતન પામીશ ક્યારે ચેત ચેત નર ચેત.” એ તો બધું વિખાઈ જશે. અહીંના પરમાણુ અહીં રહેશે. જ્ઞાન સાથે લઈ જઈશ અને કાં અજ્ઞાન સાથે લઈ જઈશ.
અહીં કહે છે પ્રભુ! તું જ્ઞાતા છો કર્તા નથી હોં! આનું દસ વખત સ્મરણ તો કર. જેમ નમોકાર મંત્રનું સ્મરણ કરી રહ્યો છો તું એમ તું જ્ઞાતા છો કર્તા નથી તેમ સ્મરણ કર, પછી કર્તા નથી એને ભૂલી જા ! પછી જ્ઞાતા જ છું...જ્ઞાતા જ છું. પહેલામાં “કર્તા નથી જ્ઞાતા છું' એમાં જ્ઞાતા જ છું. તેમાં “જ” નહતો આવતો,
હું જ્ઞાતા છું અને કર્તા નથી' એમ વિધિ-નિષેધ આવે. એમાં જ્ઞાતા છું એમ આવતું 'તું, પછી કર્તા નથી દસ વખત બોલ્યો અગિયારમી વખત બોલવાનું નહીં. પછી અગિયારમી વખત શું શરૂ કરવું? “જ્ઞાતા જ છું” આહાહા! એમાં જેનો કાળ પાક્યો હોય અને જ્ઞાતા જ છું એમાં આવી જાય તો બેડો પાર થઈ જાય. સાક્ષાત જ્ઞાતા થાય એવો આ મંત્ર છે અલૌકિક.
આચાર્ય ભગવાન એમ કહે છે કે આ બધા જે ગુણો છે ને! એના સ્વભાવમાં, એવા વિશિષ્ટ આત્મ તત્ત્વને-આ પ્રકારનું આત્માનું સ્વરૂપ, એમાં આત્મા પોતાના ગુણોમાં રહેલો છે. પર્યાયમાં રહેતો નથી, રાગમાં રહેતો નથી, આઠ કર્મમાં રહેતો નથી, શરીરમાં રહેતો નથી. તો એ ક્યાં રહે છે? ગુણી પોતાના ગુણોમાં રહેલો છે.
સોનું ક્યાં રહે છે? એ એની પર્યાયમાં રહેતું નથી. એના ચીકાશ-પીળાશ ગુણોમાં સોનું રહેલું છે, એવા આત્મતત્ત્વને ગ્રહનારા એટલે જાણનારા; ગ્રહવું એટલે પકડવું નહીં પણ જાણનાર ! શુદ્ધદ્રવ્યાર્થિકનયના બળે અંતરમુખ થઈને પર્યાયાર્થિકચક્ષુ સર્વથાબંધ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com