SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૨ પ્રવચન નં-૧૮ નહીં. એમ આ ભગવાન જ્ઞાનચક્ષુ આત્મા/જ્ઞાતા સ્વભાવી આત્મા-જાણનાર જાણનાર...જાણનાર...જાણનાર...જાણનાર....જાણનાર. અનાદિ અનંત જાણનાર... જાણવાનો ત્રિકાળ સ્વભાવ તો છે, પણ ક્ષણિક સ્વભાવમાં પણ જાણવું પ્રગટ થાય છે, પણ એ જાણવું ન માનતાં હું કરનાર છું એમ માને છે. જ્ઞાનનું અજ્ઞાન કરી નાખે છે. સામાન્ય અપેક્ષાએ તો જ્ઞાતા છે જાણનાર અને વિશેષ અપેક્ષાએ પણ એનામાં આત્માને પ્રસિદ્ધ કરે એવું જ્ઞાન પ્રગટ થાય છે. વિશેષ અપેક્ષાએ છે તો જ્ઞાતા, પણ હું જ્ઞાનસ્વભાવી આત્મા છું એવી જે સહજ જ્ઞાનમય ભવનમાત્ર જે જ્ઞાનની ક્રિયા ઉદાસીન અવસ્થા તેનો સમયે-સમયે ત્યાગ કરે છે. હું જ્ઞાતા છું” એ સમયે-સમયે ભૂલે છે. આહાહા! અને તે એમ માને છે કે હું રાગાદિનો કર્તા છું, પણ કર્તા થતો તો નથી, કર્તાનો પ્રતિભાસ થયો એને. કર્તા છું એમ માને છે ત્યારે રાગનો કર્તા જો થઈ જાય આત્મા તો તો આત્માનું અકર્તાપણું અથવા આત્માના જ્ઞાતાપણાનો નાશ થાય. પણ આત્મા તો પોતાના જ્ઞાતા સ્વભાવને છોડતો નથી. આહાહા ! અને એમ માને છે કે કરનાર છું એ તો એની દૃષ્ટિ વિપરીત છે. અકર્તાની અપૂર્વ ગાથા છે. ટીકા કરનાર એમ ફરમાવે છે કે આ પાંચ ગાથામાં આચાર્યને શું કહેવું છે તે એક લીટીમાં પહેલા કદી દે છે. “અહીં શુદ્ધ આત્માને સકળ” એટલે બધા પ્રકારના કર્તુત્વનો ” એટલે કર્તાભાવનો ‘અભાવ દર્શાવે છે.' આત્મા કેવળ જ્ઞાનમય હોવાને કારણે કેવળ જ્ઞાતા છે અને જ્ઞાતા હોવાથી શુદ્ધ છે. કેવળ જ્ઞાયક જ્ઞાતા હોવાના કારણે એ શુદ્ધ છે. કર્તા માને તે શુદ્ધાત્માને માનતો નથી. સકળ” બધા પ્રકારના પરિણામનો કર્તા આત્મા નથી. કોઈ પણ પરિણામ થાય, કેવળજ્ઞાન પરિણામ થાય, પણ કેવળજ્ઞાનના પરિણામનો આત્મા કર્તા નથી. સીમંધર ભગવાનને અત્યારે સમયે-સમયે કેવળજ્ઞાન પ્રગટ થાય છે, પણ કેવળજ્ઞાનના પરિણામ “થવા યોગ્ય થાય છે' એમ પરમાત્મા જાણે છે હું કરું છું એમ માનતા નથી. આહાહા! કેવળજ્ઞાન સ્વરૂપે આત્મા છે. જ્ઞાતા છે તે જ્ઞાતા છે, કર્તા નથી, અને જે રાગાદિનો કર્તા માને છે એ કોઈ કાળે જ્ઞાતા થઈ શકતો નથી. “જાણે છે એ કરે નહીં, કરે તે જાણે નહીં.” અહીં શુદ્ધ આત્માને સકળ પ્રકારના પરિણામના કર્તુત્વનો અભાવ દર્શાવે છે.” પહેલાં કર્તા થાય છે અને પછી કર્તાપણું છોડ છે એમ નથી. મૂળથી જ આત્મા અકર્તા અથવા જ્ઞાતા છે. મૂળને જે પકડે છે એ વિશેષ અપેક્ષાએ પણ અકર્તા થાય છે. એની કર્તબુદ્ધિ છૂટી જાય છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008226
Book TitleChaitanyavilas
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2000
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy