________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૯૯ તો છે ને? કે ના, એ જ્ઞાનનું શેય નથી, શેય કોને કહેવાય કે જેને જાણે ને આનંદ આવે એને સ્પશેય કહેવાય! પર્યાય પરદ્રવ્ય છે. પરદ્રવ્યને જાણતાં જ્ઞાન (ને આનંદ) ન થાય! આહા...હા...હા! “છે' એને જાણને! પણ “છે” એને જાણવું કે જાણ્યા કરવું? જાણવું પ્રથમ અને પછી છે” એને જ જાણ્યા કરવું!
પહેલાં જાણે તો સમ્યગ્દર્શન અને પછી જાણ્યા કરે તો ચારિત્ર, એમાં ને એમાં લીન થતાં અરિહંતદશા પ્રગટ થાય. આહા.હા ! “થાય' એને જાણવાનું બંધ કરી દે! સ્વયં થાય (પરિણામ) એનો તો કર્તા નથી, પણ જે થાય છે, આચાર્ય ભગવાન કહે છે કે હું એનો જાણનાર નહીં, ભેદનોય જાણનાર નહીં.
હું તો અભેદ સામાન્ય પરમાત્મા છું! એને ધ્યાવું છું-ભાવું છું-એમાં જ લીન થાઉં છું! આહાહા ! આ ધ્યાનની વિધિ બતાવી. થાય એને જાણવાનું બંધ કરી દે! અને “છે” એને જાણ! તો તને આનંદ આવશે. આહાહા! એક વાર પ્રયોગ તો કર! જો તને આનંદ ન આવે, તો માલ આ જાંગડ તો રાખતું (એક વખત) પ્રયોગ તો કર! “જે છે” એને જાણ અને જો (તને) જાણવામાં આવે આત્મા, અને આનંદ ન આવે, તો તું અમને પાછું આપી જજે અમારું આ વાક્ય! પણ....(અમને વિશ્વાસ છે કે તે) પાછો આપવા આવે જ નહીં. પગમાં પડી જાય, એના ગુરુનાં આહા! “છે' એને જાણ્યો, અનંતકાળ થયા, “છે” એને નહોતું જાણું, થાય એને જ જાણ્યું!
આહા..હા! “સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.”—આ ધાર્મિક ક્રિયા ! ધર્મની ક્રિયા બતાવી છે સોનગઢે કાંઈ ? કે આખો દિ' સ્વાધ્યાય જ કર્યા કરવો? અરે ! આત્માને જાણવો એ ક્રિયા છે. “જ્ઞાનક્રિયાખ્યાં મોક્ષ:' જ્ઞાન એટલે આત્માને (-છે એને) જાણવું ને ક્રિયા એટલે આત્મામાં ઠરવું! એનું નામ “જ્ઞાનક્રિયાભ્યામ્ મોક્ષ છે. આ (જ્ઞાન) ક્રિયા કરવી, બહારની વ્રત અને તપની તો એ વૈભાવિક ક્રિયા છે. (એમાં ધર્મની ક્રિયા માનવાથી) ભાઈ ! મિથ્યાત્વ દઢ થાય છે તને ખબર પડતી નથી. (કુતર્ક કરી પૂછે ) ત્યારે છોડી દઉં છું? અરે ! છોડવાની કે કરવાની વાત જ નથી.
એને જાણવાનું બંધ કરીને આત્માને (છે એને) જાણ ને! એ ક્રિયા નથી? આત્માને જાણવું એ ક્રિયા નથી? આને (વ્રત-તપને કરવા ને જાણવા) એ ક્રિયા? ને આત્માને જાણવું એ ક્રિયા જ નથી જાણે ! આહા...હા ! જગત ઊંધે રસ્તે ચડી ગયું છે.
જાણે આને જાણું તો મારું જ્ઞાન પ્રગટ થયું-એ એને જાણતાં તને જ્ઞાનેય નહીં થાય ને સુખે ય નહીં થાય. આહાહા! આને (છે એને) જાણ ને એકવાર ! અને એક વાર જાણીને આનંદ આવ્યો, ઈ વેપારીનો દિકરો પછી છોડે !? વારંવાર એમાં ઉપયોગને લગાવે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com