________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૪
પ્રવચન નં-૧૭ છે, એમ કહેવું પડે..એ પણ સાધકને ખટકે છે. એ તો જાણનારને જાણ્યા કરે છે. આહા..હા ! તેવો વસ્તુનો સ્વભાવ છે. માટે છોડી દે હવે, કર્તાપણાની હઠ છોડી દે! હું કર્તા છું એવી માન્યતા છોડી દે!
સમર્થ આચાર્ય કહે છે કે હું (પરિણામનો ય) કર્તા નથી. આ ભડનો દિકરો કહે કે હું કરું છું! મુનિરાજ કહે છે કે હું કરનાર નથી, તું એ કરનાર નથી તું માની બેઠો છે, તારી મિથ્યાશ્રદ્ધા છોડી દે! મિથ્યાશ્રદ્ધા છૂટી જાય છે ને કાર્ય તો બધું થયા જ કરશે.
કર્મના પરિણામ કર્મમાં થાય, આત્માના પરિણામ આત્મામાં થાય, આત્માના પરિણામ કર્મથી ન થાય ભાઈ ! બે ય દ્રવ્ય ભિન્ન છે માટે કર્તાકર્મસંબંધનો અભાવ એ બેયમાં છે. તસ્વરૂપમાં જ કર્તાકર્મ હોય, અતસ્વરૂપમાં કર્તાકર્મનો સંબંધ હોય જ નહીં. પણ (આવું સમજવાની) ક્યાં ફુરસદ છે. હમણાં તો આ કમાઈ લઈએ, મોટાં-ઘરડાં થશું ત્યારે ધર્મધ્યાન કરશું.
અહીંયાં તો આ અંદરના પરિણામની વાત છે ભાઈ ! (શ્રોતા:-) તો પણ તોપનો ધડાકો હતો કે આત્મામાં કરવાની વાત જ નથી! (ઉત્તર) હા, હા. કથંચિત્ પર્યાયથી રહિત ને કથંચિત્ સહિત, પણ આત્મા પર્યાયથી રહિત જ છે. આહા ! અનુભવજ્ઞાનમાં કથંચિત્ સહિત-રહિત આવશે, પહેલેથી જ કથંચિત્ રહિત-સહિત નહીં, આહાહા! રામ બોલો ભાઈ રામ રહેવા દે, સ્યાદ્વાદને (પ્રથમ) યાદ નહીં કર, (એમ લેને) !) હું તો સર્વથા શુદ્ધ છુંકથંચિત શુદ્ધ ને કથંચિત અશુદ્ધ એવું આત્માનું સ્વરૂપ નથી. આહા...હા ! (જીવોને ) સ્યાદ્વાદના નામેય પણ પ્રમાણનો પક્ષ થઈ જાય, પ્રમાણનો પક્ષ એટલે વ્યવહારનો પક્ષ જ છે શુદ્ધનયનો પક્ષ કદી આવ્યો નથી. આહા...હા !
ઈ સ્યાદ્વાદની વાત જરા આકરી પડે એવી છે, અમને ખબર છે બધી. પણ અમારી પાસે આધાર છે–પ્રમાણ છે, (શ્રોતા ત્રણે કાળ?) (ઉત્તર) ત્રણે કાળ આ વાત સત્ય છે. જુઓને આ આપણા ભાઈ “હા” કહે છે, જુવાન! બોલો! આહા...હા ! સમજીને હા પાડે છે, અમારા કહેવાથી હા પાડે છે એમ નથી. આહા...! ( એમને એમ કોઈ ) હા પાડે જ નહીં, પણ વિચારકોટીમાં રાખે, પણ પોતાને બેસે, એટલે સમાય નહીં, આ વાત પરમસત્ય છે (એમ અંદરથી હકાર આવે !)
અરે! સત્ય વાત બહાર આવે, એને ઝીલનારાં હોય, હોય ને હોય જ. અને આ આત્મામાં સ્યાદ્વાદનો અભાવ છે, એ વાત, આઠસો વર્ષ પહેલાં દેવસેનઆચાર્ય થઈ ગયા છે એમણે “નયચક્ર' નામનું એક શાસ્ત્ર લખ્યું છે, એમાં ૩ર-૩૩ પાના ઉપર આ વાત છે “ સ્યાદવાનો અભાવ હોવા છતાં, નિશ્ચયાભાસપણું આવતું નથી.” આત્માને આત્માનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com