________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૬૩ પહેલાં કહ્યું કે આ કોઈ મારા સ્વભાવમાં નથી પછી કહે છે એટલે હું તેનો કર્તા નથી, કારણ નથી, કરાવતો નથી.
“ચૌદભેદવાળાં માર્ગણાસ્થાનો તથા (ચૌદ) ભેજવાળાં જીવસ્થાનો કે ગુણસ્થાનો શુદ્ધનિશ્ચયનયથી પરમભાવ સ્વભાવવાળાને (-પરમભાવ જેનો સ્વભાવ છે એવા મને) નથી.” માટે હું એનો કર્તા-કારયિતા કે અનુમોદક નથી.
“મનુષ્ય અને તિર્યચપણાની કાયાના, વયકૃત વિકારથી (-ફેરફારથી) ઉત્પન્ન થતા બાળ-યુવાન-સ્થવિર-વૃદ્ધાવસ્થારિરૂપ અનેક સ્થૂલ-કૂશ વિવિધ ભેદો શુદ્ધ નિશ્ચયનયના અભિપ્રાય મારે નથી.” અહીં સૂક્ષ્મ પરિણામ લેવા દેહની સ્થિતિ સ્થૂળ છે પણ તેને યોગ્ય પરિણામ તે ભેદો શુદ્ધ નિશ્ચયનયના બળથી મને નથી. મનુષ્ય અને તિર્યંચમાં એ બેમાં કાયાની વયકૃત હોય છે. દેવ અને નારકીને ન હોય તેથી ન લીધું. મનુષ્ય, તિર્યંચ તેમ બે કાયા લીધી.
મનુષ્ય અને તિર્યંચ પર્યાયની બે કાયા લીધી “વયકૃત વિકારથી” એટલે કે શરીરના “ફેરફારથી ઉત્પન્ન થતા મનુષ્ય અને તિર્યંચ એમાં બાળ-યુવાન-સ્થવિર-વૃદ્ધાવસ્થારિરૂપ મનુષ્ય તિર્યંચને છે આ બધા સ્થળ કુશ વિવિધ ભેદો, શુદ્ધનિશ્ચયનયના અભિપ્રાય મને નથી આ બધા પર્યાયમાં ભલે હો પણ દ્રવ્યમાં નથી. પર્યાયમાં હો તો હો ! પણ મારા સ્વભાવમાં એનો અભાવ છે. જેનો મારા સ્વભાવમાં અભાવ છે તેનું કરવું મારામાં ન હોય. જે મારા સ્વભાવમાં ન હોય તેનું કરવું મને સંભવી શકે નહીં. એ-કાર્ય કરવાની શક્તિ જ મારામાં નથી તે કારણે જ કરતો નથી. કરવાની શક્તિ છે ને તેને હું કરવાને રોકું છું તેમ નથી.
મારામાં શક્તિ તો છે કાર્ય કરવાની માર્ગણાસ્થાનને કરવાની અને (તેને) હું રોકી દઉં છું તેમ નથી. કરવાની શક્તિનો જ અભાવ છે તેવો જ કોઈ સ્વભાવ અકર્તા છે. એવો અકર્તા જ્યારે લક્ષમાં આવે છે ત્યારે ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને ભાવું છું. અંદર ડૂબકી મારે ધે છે.
પરિણામને કરવાની મારામાં તાકાત છે પણ હું પરિણામને કરતો નથી તેમ નથી પરિણામનું કરવું એ મારા સ્વભાવમાં જ નથી એ કારણે-મારો સ્વભાવ નથી માટે કર્તા નથી. કરવાની શક્તિ છે ને કરવાનું કામ રોકી દઉં છું તેમ નથી. મિથ્યાત્વને કરવાની શક્તિ છે પણ હવે તેને હું કરવાનું બંધ કરું છું તેમ નથી. તેમ સમ્યકદર્શન કરવાની મારામાં શક્તિ છે; જ્યારે ધારું ત્યારે ઉત્પન્ન કરી શકું? કે, “ના”. એ મારા સ્વભાવમાં નથી.
આહા! પર્યાયનું કરવું પર્યાયમાં થાય છે તેમ જાણવામાં આવે છે પણ હું કરું છું તેમ મને જાણવામાં આવતું નથી કેમકે હું જાણનાર છું તેથી કરનાર નથી જાણનાર કરનાર ન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com