________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૬૧ વાત લીધી છે. પણ પહેલી બે લીટીમાં વ્યવહારથી આમ હોય છે તેમ વાત કરી તે ચારે લીટીમાં લાગુ પડે છે.
સંસારી જીવને બહુ આરંભ પરિગ્રહ વ્યવહારથી હોય છે. એમ બધામાં સંસારી જીવને વ્યવહારથી રાગ દ્વેષ મોટું હોય છે, માયા પણ હોય છે, એ બધું વ્યવહારનયે હોય છે. પણ નિશ્ચયનયે તો...(તેઓ મને નથી.) કેમકે આ પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર છે. મારા સ્વભાવમાં એનો અભાવ છે એથી કર્તા નથી.
“મનુષ્ય નામકર્મને યોગ્ય દ્રવ્યકર્મ તથા ભાવકર્મનો અભાવ હોવાને લીધે મારે મનુષ્ય પર્યાય શુદ્ધનિશ્ચયથી નથી.” “સલ્વે શુદ્ધા શુદ્ધનયા.” શુદ્ધનયથી જોવામાં આવે તો બધા આત્મા શુદ્ધ છે. હું પણ શુદ્ધ છું તેથી મારામાં મનુષ્ય પર્યાયનો અભાવ છે.
“દેવ” એવા નામનો આધાર જે દેવ પર્યાય તેને યોગ્ય સુરસ-સુગંધ સ્વભાવવાળાં પુગલ દ્રવ્યના સંબંધનો અભાવ હોવાને લીધે નિશ્ચયથી મારે દેવ પર્યાય નથી.” ઉપર કહ્યું કેઃ દ્રવ્યકર્મ ભાવકર્મનો અભાવ છે માટે મનુષ્ય પર્યાય મને નથી. તેની ઉપર કહ્યું કે રાગદ્વેષ મોહનો અભાવ છે એમ કહ્યું. અહીં દેવ એવા નામનો આધાર એવો દેવ પર્યાય તેમાં તેના શુભભાવના કારણની કોઈ વાત ન લીધી. આમાં નિમિત્તકારણની વાત ન લીધી. ઉપરમાં નિમિત્ત કારણની વાત લીધી. એટલી વાત સ્થળ કરી હવે એકદમ સૂક્ષ્મવાતમાં ઉતરે છે.
હવે આપણે સાથે સાથે આ અનુસંધાન પણ લેતા જઈએ. પહેલા પારાની સાથે અનુસંધાન લઈ લઈએ. “હું નારક પર્યાયને કરતો નથી સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું.” હું તિર્યંચ પર્યાયને કરતો નથી કરાવતો નથી અનુમોદન આપતો નથી તે બધું લઈ લેવું (“અહીં ટીકામાં જેમ કર્તા વિષે વર્ણન કર્યું તેમ કરાયિતા અને અનુમંતા-અનુમોદક વિષે પણ સમજી લેવું.”) કસમાં છે.
હું નારક પર્યાયને કરતો નથી એટલે કે નારક પર્યાયને યોગ્ય પરિણામનો હું કર્તા નથી એમ એનો કરાવનારેય નથી એનો કરનાર પુદ્ગલ કર્મ છે તે મને ખબર છે, પણ પુદ્ગલ કર્મ તેને કરે તેને હું અનુમોદન આપતો નથી. ત્યારે હું શું કરું છું? સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું. આ પરમાર્થ પ્રતિક્રમણ આવો વિકલ્પ ઉઠે છે ને આ વિકલ્પ છૂટે છે. વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ ધ્યાનમાં ચાલ્યા જાય છે. વિકલ્પ ઉઠયો છે તેનું જ્ઞાન કરાવ્યું, કે : આ પ્રકારના વ્યવહારનાં નિષેધનો વિકલ્પ આવ્યો અને હું તો સીધો શુદ્ધાત્માનાં અનુભવમાં ચાલ્યો જાઉં છું.
હું નારક પર્યાયને કરતો નથી કરાવતો નથી એનો અનુમોદક નથી અને એનું હું કારણ પણ નથી. સહજ એટલે સ્વાભાવિક-અકૃત્રિમ-અનાદિ અનંત ચૈતન્યનાં વિકાસ સ્વરૂપ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com