________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૨
પ્રવચન નં-૧૨ જાય. જેને સંયોગની ભાવના હોય એને શરીર મળે. જેને સંયોગની ભાવના ન હોય અને સંયોગ ન મળે. અહાહા! આ માર્ગ ગુરુદેવ ચોખ્ખો કરી ગયા.
આ રીતે પાંચ રત્નો દ્વારા શોભિત કથન વિસ્તાર દ્વારા સકળ વિભાવ પર્યાયોના સંન્યાસનું (ત્યાગનું) વિધાન કથન છે” આ આપણે જ્ઞાનમાં ઊતાર્યું છે, દષ્ટિમાં નહીં આત્મા જ્ઞાન અપેક્ષાએ ઉપચારથી કર્તા છે એનો પણ વિરોધ કર્યો તો ઉપચાર છૂટી ગયો. ઉપચારનો પણ ત્યાગ થઈ ગયો. પછી ઉપચાર ક્યાં રહ્યો?! આ એને કરે તે ક્યાં રહ્યું! એ ચારિત્રને કરે છે તેવું ક્યાં રહ્યું? પર્યાયદષ્ટિનો તો ત્યાગ થયો પણ પર્યાય જાણવામાં આવતી 'તી એનું પણ જાણવાનું બંધ થયું. હું તો ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું એટલે શુદ્ધોપયોગ થઈ ગયો. આમાં શુદ્ધોપયોગ થવાની કળા છે.
આહાહા! અકર્તાને કર્મ ન હોય તેથી કર્મને જાણતો નથી. હોય તો જાણેને? “કરના ભી ગયા અને જાનના ભી ગયા ઔર જાણનાર રહ ગયા.” (શ્રોતા-અપૂર્વ વાત છે.) પર્યાય કો કરના ભી ગયા, ઔર પર્યાય કો જાનના ભી ગયા ઔર જાણનાર રહ ગયા. જેમ પાણીનું બરફ થઈ જાય તેમ ઢીમ થઈ ગયો ઢીમ.
હવે આ પાંચ ગાથાઓની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે. શ્લોકાર્થ:- આ પ્રમાણે “પંચ રત્નો દ્વારા જે આ” એટલે મુનિરાજે “સમસ્ત વિષયોના ગ્રહણની ચિંતાને છોડી છે” સકળ વિષયોનું ગ્રહણ જે શબ્દ છે ને? એમાં કરવુંય છોડયું અને જાણવું ય છોડયું. બે ભાવ તેમાંથી આવે છે. “સમસ્ત વિષયો એના ગ્રહણની', ગ્રહણનો અર્થ થાય છે જાણવું કરનાર તો છું જ નહીં પણ છઠ્ઠી ગુણસ્થાને જાણેલો પ્રયોજન વાન હતો એ પણ છૂટી જાય છે. “અને નિજ દ્રવ્ય ગુણપર્યાયના સ્વરૂપમાં ચિત્તને એકાગ્ર કરે છે.” જેને દષ્ટિના વિષયમાં માસ્ટરી છે એવા સમર્થ મુનિરાજ એમ કહે છે કે: દ્રવ્યગુણ પર્યાયના સ્વરૂપમાં એટલે કે પોતે એ શેયરૂપ થઈ જાય છે.
જે ધ્યેયરૂપ આત્મા હતો એ ધ્યેયનું ધ્યાન કરતા-તેની ભાવના કરતા-ચૈતન્ય વિલાસ સ્વરૂપ આત્માને ભાવતાં એ જ્ઞય થઈ જાય છે. પોતે જ જ્ઞય થાય છે. પોતે જ શેય, પોતે જ જ્ઞાન, પોતે જ જ્ઞાતા એ અભેદ એમ. જ્ઞાતા-જ્ઞાન-શયના નામથી ભેદ છે પણ વસ્તુભેદે ભેદ નથી. એ આ ફળ આવ્યું.
“નિજ દ્રવ્ય-ગુણ પર્યાયના સ્વરૂપમાં ચિત્તને એકાગ્ર કર્યું છે” ચિત્તને એટલે જ્ઞાનને એકાગ્ર કર્યું છે. એ અભેદપણે જણાય છે. અભેદને અભેદ થઈને જાણે છે. અભેદમાં એકાગ્ર થઈને એવા સ્વરૂપને જાણવા મંડયો કે જે દ્રવ્યગુણપર્યાય સ્વરૂપ છે વસ્તુ. અભેદપણે જાણે છે એમાં તર્ક કે વિકલ્પ-ભેદ નથી કાંઈ. સમજાવવા માટે દ્રવ્ય-ગુણ-પર્યાય શબ્દ વાપર્યો છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com