________________
૧૫૦
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
પ્રવચન નં-૧૨
એ પહેલા ત્રણ બોલ લીધાને! તેમાં ગુરુદેવે જઘન્ય રત્નત્રયના પરિણામમાં શુદ્ધ પરિણતિ લીધી છે. કેમ કે છઠ્ઠા ગુણસ્થાને પરિણતિ હોય ને એમ! અને પરદ્રવ્યનું શ્રદ્ધાન એ તો વ્યવહાર–સાકાર લીધું અને એને નિરાકાર કરે છે એમ ત્રણ પ્રકાર પાડીને એ વાત કરી હતી. એટલે છેલ્લે પણ અહીંયાં નિરાકાર જ રજુ કરે છે. અભેદ અનુપચાર એટલે નિરાકાર. નિરાકાર તત્ત્વમાં લીન થઈને નિરાકાર ચારિત્ર પ્રગટ કરે છે એમ!
પછી તેમાં આગળ ખુલાસો કરે છે કેઃ નવતત્ત્વ-નવપદાર્થ પરદ્રવ્ય છે તેનું શ્રદ્ધાન એટલે કે આમાં સંવ-નિર્જરાને મોક્ષ આવ્યા હોં! એ ૫૨દ્રવ્યમાં આવ્યું. એમાં લખ્યું છે ને? નવપદાર્થ ૫૨દ્રવ્ય છે તેનું શ્રદ્ધાન એટલે સંવ૨-નિર્જરા પરદ્રવ્યમાં આવી ગયા ને?
સ્પેશ્યલ શબ્દ મૂકયા ત્રણ, ભેદ ઉપચાર, અભેદ ઉપચાર અને અભેદ અનુપચાર. અભેદ અનુપચારમાં એકાગ્રતા અર્થાત્ લીન થઈ ગયો બસ. નિશ્ચલ થયો શુદ્ધોપયોગની ભૂમિમાં. અભેદ અનુપચારમાં શુદ્ધઉપયોગ સ્વરૂપ ભગવાન આત્મા એનું અવલંબન લેતા શુદ્ધોપયોગ થઈ જાય છે.
બીજા જે ત્રણ પ્રકાર ભેદ ઉપચાર, અભેદ ઉપચાર, અભેદ અનુપચાર જે ત્રણ પ્રકાર નીચે કહ્યાં તે જ ઉપ૨ આવેને? બીજી રીતે કહે તો પણ પહેલાને જે સુસંગત હોય એવી જ રીતે બીજો પ્રકાર આવે ને?! તો જ આ એનો બીજો અર્થ છે તેમ આવે ને ?! શબ્દો ફરે પણ ભાવ ન ફરે. બીજું યોગનો વિષય પણ સારો લીધો છે. ચોથા ગુણસ્થાને અંશે યોગનો નિરોધ થઈ જાય છે. મેં જે વાત કરી'તી એ વિષય પણ લીધો છે. સમયસાર આસ્રવ અધિકારમાં એ ગાથા છે.
મિથ્યાત્વનો અભાવ થાય તો મિથ્યાત્વના અવિનાભાવરૂપ જેટલું કંપન હતું એનો અભાવ થઈ જાય. મિથ્યાત્વનો અભાવ થાય તો એટલો અવ્રતનો એટલો કષાયનો એટલો કંપનનો, એટલો યોગનો, એ સંબંધી અભાવ થાય. મિથ્યાત્વની ભૂમિકાની સાથે રહેતો ભાવ તે એક સાથે જાય. ( શ્રોતાઃ સમયસારની ૧૦૯ થી ૧૧૨ ગાથામાં આપે આ વિષય લીધો તો )
એ વિષય પણ લીધો કેઃ મન, વચન કાયાનું કંપન છે એના ઉ૫૨થી એમ લીધું કે: યોગ નામની શક્તિ છે તો એ કંપનથી રહિત આત્મા નિષ્કપ છે અને પર્યાયમાં પણ અનુભવ થતાં “સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ” શ્રીમદ્જીએ કહ્યું છે તેમજ રહસ્યપૂર્ણ ચીઠ્ઠીમાં આવે છે કે “ જ્ઞાનાદિ એકદેશ શુદ્ધ થાય છે.” તે બે આધાર લીધા.
“સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ” તેમાં યોગમાં પણ અંશે અકંપદશા થઈ જાય છે. કંપન છે એ વિભાવ છે. એ વિભાવનો સર્વથા અભાવ તો ચૌદમા ગુણસ્થાને થાય છે, અકંપદશા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com