________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૮
પ્રવચન નં-૧૧ અનુમોદતો નથી.” આમાં મિથ્યાત્વ ભેગું કેમ લીધું? કે આ પ્રતિક્રમણ છે ને!? પૂર્વે લાગેલા દોષ તે મિથ્યા હો ! તે મારું દુષ્કૃત્ય મિથ્યા હો ! પૂર્વે મિથ્યાત્વના પરિણામ થયા હતા અને હું માનતો હતો કે હું કર્તા છું પણ, આજે અકર્તાનું ભાન થયું તો પૂર્વે મેં મિથ્યાત્વના પરિણામ કર્યા ન હતા. એ પુદ્ગલે કર્યા છે એમ આજે મેં જાણ્યું. તે ભૂતકાળનું દુષ્કૃત્ય મારું મિથ્યા હો ! ખલાસ પ્રતિક્રમણ કરી લીધું.
ભૂતકાળનું પ્રતિક્રમણ, વર્તમાનની આલોચના અને ભવિષ્યના પચખાણ સમય એક છે. ભૂતકાળની અપેક્ષાએ શુદ્ધોપયોગને પ્રતિક્રમણ કહેવાય, ભવિષ્યની અપેક્ષાએ એ જ શુદ્ધોપયોગ તેને પ્રત્યાખ્યાન કહેવાય અને એ જ શુદ્ધોપયોગને વર્તમાનની અપેક્ષાએ આલોચના કહેવાય. પર્યાય એક નામ ત્રણ. વિવિક્ષા ભેદે ત્રણ નામ છે. પ્રતિક્રમણનો શુદ્ધોપયોગ જુદો ને આલોચનાનો શુદ્ધોપયોગ જુદો તેમ છે નહીં. એક સમયમાં ત્રણે થાય છે. ભૂતનું પ્રતિક્રમણ, ભાવિના પચખાણ, અને વર્તમાનની આલોચના એમ સમય એક છે.
પૂર્વે અજ્ઞાનદશામાં જે મિથ્યાત્વ થયું હતું તેનો કર્તા હું હતો એમ માનતો હતો. આજે શ્રીગુરુના પ્રતાપથી મને ભાન થયું કે મિથ્યાત્વઆદિ ચૌદગુણસ્થાનનો આત્મા કર્તા નથી. ભૂતકાળમાં કર્તા ન હતો, વર્તમાનમાં કર્તા છે નહીં અને મોક્ષ નહીં થાય ત્યાં સુધી ચૌદ ગુણસ્થાન રહેશે તો પણ મારો આત્મા તેને નહીં કરે.
આહા! ભાવિના પચખાણ પણ મોક્ષ ન થાય ત્યાં સુધીના હોય. અનાદિ અનંત ન હોય. કેમકે અનાદિ-અનંત એ ભાવ રહેવાના નથી. થોડો ટાઇમ મોક્ષ ન થાય ત્યાં સુધી આ યોગ નામનો આસ્રવ રહેશે પણ એનો હું કર્તા નહીં થાઉં એવા પચખાણ આજે કરી લીધા છે, એટલે ભવિષ્યમાં કર્તા થવાનો પ્રશ્ન રહેતો જ નથી.
ભવિષ્યનો આજે મેં ત્યાગ કરી દીધો. કદાચ બે-ચાર-પાંચ ભવ હોય સમજી ગયા, તો પણ આજે હું પ્રતિજ્ઞા કરું છું કે એને હું કરીશ નહીં. કેમકે અત્યારે કરતો નથી તો ભવિષ્યમાં નહીં કરું. અત્યારેય પુદ્ગલ કરે છે અને ભવિષ્યમાંય પુદગલ કરશે. જે આજે કરે છે તે કાલે કરશે, અને આજે કરે છે એ ભૂતકાળમાં કરતો હતો અને એ જ આવતીકાલે કરશે, હું તો અકર્તા રહેવાનો છું. ગાથા ઊંચી ઘણી,
(આત્મા શુદ્ધ છે તેના કારણો.) અકર્તા રહી ગયો છે માટે શુદ્ધ છે. પ્રમત્ત અપ્રમત્તથી રહિત છે માટે શુદ્ધ છે. ગુણસ્થાનથી રહિત છે માટે શુદ્ધ છે. પર્યાયમાત્રથી રહિત છે માટે શુદ્ધ છે. ઉત્પાદવ્યયથી રહિત છે માટે શુદ્ધ છે. અગુરુલઘુગુણની પર્યાયથી રહિત છે માટે શુદ્ધ છે, મોક્ષની પર્યાયથી રહિત છે માટે શુદ્ધ છે. બંધ-મોક્ષની પર્યાયથી રહિત છે માટે શુદ્ધ છે. શુદ્ધ પર્યાયથી રહિત છે માટે શુદ્ધ છે. શુદ્ધ પર્યાયથી સહિત થાય તો દ્રવ્ય શુદ્ધ રહેતું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com