________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૩૭ છે, અને આત્માના ગુણો છે એ તો સહજ છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્ય અનંતગુણો સહજ છે. એ સહજ છે અને (ચૌદગુણસ્થાન) તો કૃત્રિમ છે-કરાયેલા છે-નવા છે, તેથી હું એને ભાવતો તો નથી પણ એની સામે જોતો પણ નથી.
આહા ! હવે પરિણામની સામે જોતો નથી. દ્રવ્યને જાણતાં જાણતાં પરિણામને જાણવા રોકાઉં તો નિર્વિકલ્પ ધ્યાન આવતું નથી. મને એ (પરિણામો) પ્રમાણ- જ્ઞાનથી જોતાં જણાય જાય છે. પ્રમાણજ્ઞાન ચાલું રહેતાં શુદ્ધોપયોગ રહેતો નથી, શુદ્ધ પરિણતિ રહે છે. આમ પ્રમાણજ્ઞાનમાં રોકાતા શુદ્ધોપયોગનો ઘાત થઈ જાય છે. માટે ફરીથી હું પરિણામને જાણવાનું બંધ કરી અને મારા સામાન્યને જોઇ લઉં છું ત્યાં શુદ્ધોપયોગ થઈ જાય છે. ઝાઝો ટાઇમ પ્રમાણમાં રોકાઈ જાય તો પક્ષ આવવાનો અવકાશ છે. પક્ષ આવી જાય એમ કહેતો નથી પણ પક્ષ આવવાનો અવકાશ છે. (અજ્ઞાનીને) તેને એમ છે કે દ્રવ્ય-પર્યાયને જાણતાં જાણતા મારો મોક્ષ થશે. જ્ઞાની કહે છે-નહીં થાય. અભેદને જાણતાં મોક્ષ થશે.
અભેદ સામાન્ય ટંકોત્કીર્ણ નિજ સામાન્ય પરમાત્મ દ્રવ્ય એને હું ભાવું છું- આત્માને જ ભાવું છું. બીજાને ભાવતો નથી. એ પરિણામ અકર્તાનું કર્મ ય નથી અને એ પરિણામ ધ્યાનનું ધ્યેય પણ નથી, એ પરિણામ જ્ઞાનનું જ્ઞય પણ નથી. સામાન્ય ચિન્માત્ર પરમાત્માને, મારા ભગવાન આત્માને ધ્યાવું છું. મને ખબર પડી ગઈ છે કે પરમાત્માને ભાવતાં પરમાત્મા થવાય છે. પરમાત્માને ભાવતાં પરમાત્મા થઈ જશે. અને હું કરીશ નહીં, કેમકે કરવાથી થતું નથી.
(શ્રોતા-કિયે બીના, જો બીના) કર્યા વિના અને તેને જાણ્યા વિના પરમાત્મા થઈ જાય છે. કેમકે એ પુદ્ગલનું કાર્ય છે મારું કાર્ય નથી...પછી મારે એને જોવાનું શું કામ છે? તે યાદ કરવાની ચીજ જ નથી. હું તો ચિત્માત્ર મૂર્તિ છું. બસ.
“ચૌદભેદવાળા માર્ગણાસ્થાનો તથા ચૌદભેદવાળા જીવસ્થાનો”, સાત દુ ચૌદ આવે છે ને!? એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રણઇન્દ્રિય, ચારઈન્દ્રિય, પંચેન્દ્રિય, અસંજ્ઞી, સંજ્ઞી તે સાત, તેનાં ડબલ કરો તો ચૌદ થઈ જાય છે. એ પરિણામોને હું કરતો નથી, કરાવતો નથી, અને કર્તાને અનુમોદતો નથી. હું તો શુદ્ધાત્માને ભાવું છું.
જુઓ! અહીંયાં આમાં ક્રમ ફેરવી નાખ્યો. “હું એકેન્દ્રિયાદિ જીવસ્થાન ભેદોને કરતો નથી. આમાં ક્રમ આમ છે. માર્ગણાસ્થાન પછી જીવસ્થાન છે. અને આગળ માર્ગણાસ્થાન પછી ગુણસ્થાન મિથ્યાત્વ આદિ લીધું છે. મિથ્યાત્વાદિ ગુણસ્થાન ભેદોને કરતો નથી. આ બે બોલ થયા. હવે ત્રીજો બોલ.
“હું મિથ્યાદષ્ટિ આદિ ગુણસ્થાન ભેદોને કરતો નથી, કરાવતો નથી અને કર્તાને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com