SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩) પ્રવચન નં-૧૦ કર્તા છે; તે નિશ્ચયથી કર્તા ન હોય તો કાંઈ નહીં પણ વ્યવારે તો કર્તા ખરોને? ઉપચારથી કર્તા ખરોને? સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રનો હોં! બહારની વાત નહીં. શુદ્ધ પર્યાયનો ઉપચારથી કર્તા ખરો ને? એ ઉપચારથી પણ કર્તા નથી. આપણે એ વાત થઈ હતી કે આ કર્તા નથી એમ કેમ એને લેવું પડ્યું? કેમ કે પરમાર્થ પ્રતિક્રમણ તો મુનિરાજને હોય છે એમને કેમ લેવું પડયું! જેમ સામાયિક છટ્ટ ગુણસ્થાને હોય એમ પરમાર્થ પ્રતિક્રમણ છે એ તો ચારિત્રનો ભેદ છે ને? આ ચારિત્રના ભેદમાં એમ કેમ વિચાર આવ્યો કેઃ આનો કર્તા નથી. એમ કેમ તેમણે યાદ કર્યું? મને એક નિયમ-(પ્રકૃતિ) છે એવી વાત ડીપોઝીટ રહી જાય છે અને એનું સંશોધન હું ન જાણતો હોઉં એ રીતે અંદરમાં થયા કરતું હોય છે. અને એકાએક તેનું સમાધાન આવી જાય છે. કેમ કે સંશોધન કરવાનો જ્ઞાનનો સ્વભાવ જ છે. કાલે સંતોષ થઈ ગયો. આહાહા ! કુંદકુંદ-ભગવાન આવીને કહી ગયા..તું! મુંઝાશને !! તારે મૂંઝાવાની કોઈ જરૂર નથી. ઉપચારથી કર્તા હતો એનો નિષેધ કરવા માટે મેં કર્તા નથી એમ લખ્યું છે બસ. તને સમાધાન થઈ જશે. મેં ઉપચારથી કર્તા કહ્યો છે માટે એ ઉપચારનો નિષેધ કરવા માટે હું ફરીથી કર્તા નથી એ યાદ કરું છું. સવારે આ વિચાર આવ્યો તો કેઃ શુદ્ધ પર્યાયનો પણ આત્મા કર્તા નથી એ માટે થઈને આ ઉપચારનો નિષેધ કરવા માટે ફરીથી હું કર્તા નથી. કારયિતા નથી એ ફરીથી ચારિત્ર માટે છે. પેલું કર્તા નથી એ દષ્ટિ માટે હતું અને આ ચારિત્ર માટે છે. અહીં કર્તા નથી તે ચારિત્ર માટે છે કેમ કે ઉપચાર આવતો 'તોને ? એટલે ખટકયું એમને! મુનિરાજ કહે છે-મારા ભગવાનને ચારિત્રનો કર્તા કહો છો? હું તો અકર્તા છું પ્રભુ! જરા ઉપયોગ સ્વભાવ ઉપરથી હટી ગયો, દષ્ટિ તો વર્તે છે પણ જરા ઉપયોગ છુટયો તેમાં અમને કર્તા કહેવા લાગ્યા ! નહીં...નહીં...નહીં. અમે તો અકર્તા છીએ. આમ ફરી પાછા નિર્વિકલ્પ ધ્યાનમાં એટલે અભેદ અનુપચારમાં જાય છે. “અભેદ” ને “અનુપચાર' એ શબ્દ પણ આના અનુસંધાનમાં હતો. એ રીતે અડખાં-પડખાં આવી જાય છે. (શ્રોતા-અને કડી પણ મળી જાય છે. એ કર્તા નથી એમ કેમ કીધું છે?) ઉપચારનો કર્તા આવતો હતો ને એનો નિષેધ કરવા માટે કર્તા નથી કહ્યું. કેમકે પેલી કર્તબુદ્ધિ જતી રહી છે, તો કર્તાનો ઉપચાર આવતો તો એ પણ ખટકતું 'તું આત્મા મોક્ષમાર્ગનો કર્તા છે એ ઉપચારથી એ ખટકતું 'તું મોક્ષના કારણભૂત મોક્ષમાર્ગ હોં! હે! શ્રમણ ભગવાન આપ એના ઉપચારથી કર્તા છો અમે ઉપચારથી કર્તા કહીએ છીએ! નિશ્ચયથી તો અમે કહેતા નથી કેમ કે નિશ્ચયથી તો અકર્તા છે પણ વ્યવહારથી તો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008226
Book TitleChaitanyavilas
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2000
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy