SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates ચૈતન્ય વિલાસ ૧૨૭ ** ,, “હું સદા તિર્યંચ પર્યાયના કર્તૃત્વથી વિહીન છું.” જુઓ! ‘મને ' એમ આવ્યું ને? પાછું ‘હું' એમ ‘હું' આવ્યા કરે છે. “હું” એટલે આત્મા. “મનુષ્ય નામકર્મને યોગ્ય દ્રવ્યકર્મ તથા ભાવકર્મનો અભાવ હોવાને લીધે. ” ભગવાન આત્મામાં ત્રણેય કાળ અભાવ છે. મારે મનુષ્ય પર્યાય શુદ્ધ નિશ્ચયનયે નથી. વ્યવહારનયે મનુષ્ય પર્યાય છે અને એ મનુષ્ય પર્યાયને જ્યારે વ્યવહારનયે વિચારવામાં આવે ત્યારે મનુષ્ય પર્યાય છે અને તેને યોગ્ય દ્રવ્યકર્મ અને ભાવકર્મ છે એ નિમિત્ત અને પેલું નૈમિત્તિક. પણ, મારા સ્વભાવની સમીપે જઈને હું ભગવાન આત્માના દર્શન કરું છું....આહાહા! અકર્તાને હું નિહાળું છું ને ત્યારે શુદ્ધનિશ્ચયનયના બળે મને મનુષ્ય પર્યાયતો નથી પણ મનુષ્ય પર્યાયનું જે કારણ દ્રવ્યકર્મ અને ભાવકર્મ એનો મારામાં અભાવ હોવાને લીધે. અભાવ હોવાને લીધે, થવાને લીધે એમ નહીં. હોવાને લીધે ત્રણેય કાળ. મનુષ્ય પર્યાયનું કારણ કોઈ કાળે આત્મા નથી. ભગવાન મહાવીર મનુષ્ય થયા એનું કારણ એનો આત્મા નથી. કારણનો અભાવ છે એટલે કાર્યનો અભાવ છે. આત્માને મનુષ્ય પર્યાય નથી એનું કારણ આપ્યું કે દ્રવ્યકર્મ ભાવકર્મનો અભાવ હોવાથી મુખ્ય આ છે. નારકી પર્યાય નથી એનું કારણ આપ્યું કેઃ આરંભ પરિગ્રહનો અભાવ હોવાથી. કેમ કે આરંભ પરિગ્રહ છે એ નિમિત્ત કારણ છે અને પેલી નૈમિત્તિક પર્યાય છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધનો સ્વભાવમાં અભાવ છે. માટે ચારગતિ આત્મામાં નથી. વ્યવહારનય સતતપણે કહે છે કે ચારગતિમાં જીવ રખડે છે. નિશ્ચયનય કહે છે કે ચારગતિમાં જીવ આવ્યો નથી. ચારગતિના કારણને એણે સેવ્યું નથી. કોઇ દિ દુ:ખી થયો જ નથી વ્યવહારનયે દુ:ખી હોય છતાં નિશ્ચયનયે તો સુખી છે. આ ભેદજ્ઞાન દ્રવ્ય અને પર્યાય વચ્ચેનું છે. અનાદિથી અજ્ઞાનીને પર્યાય સાપેક્ષ દ્રવ્યની ગંધ-પ્રમાણનો પક્ષ એવો થઈ ગયો છે કે એમાં સ્વામીત્વબુદ્ધિ અને કર્તુત્વબુદ્ધિ રહી જાય છે. રહિતનું શ્રદ્ધાન થાય તો કર્તાબુદ્ધિ છુટી જાય છે અહીં એ વ્યવહારનું તો પ્રતિક્રમણ કરવાનું છે. પ્રતિપક્ષ આવ્યું'તું ને? વ્યવહા૨ ચારિત્રનો નિશ્ચયના આશ્રયે ત્યાગ કરવો છે. એનું તો પ્રતિક્રમણ કરવાનું છે. એનાથી તો પાછા ફરવાનું છે. એટલે મનુષ્ય છું એમ જાણ્યું વ્યવહા૨થી એનું તો પ્રતિક્રમણ કરવું છે કે હું મનુષ્ય નથી. એનું નામ પ્રતિક્રમણ છે. કાલે રાત્રે બે-ત્રણ કલાક આ વિષય ઉપર ઘોલન ચાલેલું. વિચાર એમ આવ્યો કે સમાજમાં ઘો૨ અંધારુ છે. કો'ક વીરલા તત્ત્વના ઊંડાણની રુચિવાળા હોય છે. એનું કારણ એ છે કે અનાદિનો વ્યવહારનો પક્ષ છે ને ? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008226
Book TitleChaitanyavilas
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2000
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy