________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૬
પ્રવચન નં-૧૦ બળે તિર્યંચ પર્યાય મને નથી એ છેલ્લું વાક્ય લઈ લેવું. બધામાં વ્યવહારેય લેવો અને નિશ્ચય પણ લેવો, બેય લેવા.
તિર્યંચ પર્યાયને યોગ્ય સંસારી જીવને આવા ભાવો હોય છે પણ, એ જીવને પણ...એનો જે જીવ સ્વભાવ એની સમીપે જઈને જુઓ તો શુદ્ધનિશ્ચયનયના બળે શુદ્ધજીવાસ્તિકાયને આ માયામિશ્રિત પરિણામ થતા નથી. આત્માથી બહાર પર્યાયમાં થાય છે, દ્રવ્યમાં નથી આ સામાન્ય અને વિશેષ બે પડખાં જો સમજાય તો આ સમજાય. પણ સામાન્યને વિશેષ મિશ્રિત થઈ જાય તો નહીં સમજાય.
અશુદ્ધ પરિણામ છે? તો કહે “હા”, કઈ નયે? વ્યવહારનયે. નથી એ પરિણામ? તો કહે-નથી.' કઈ નયે? કે નિશ્ચયનયે. સ્વભાવને ગ્રહણ કરનારી એક નય છે. અને ભેદને ગ્રહણ કરનારી એક નય છે.
વ્યવહારનય પર્યાયાશ્રિત છે પરાશ્રિત નહીં. પરાશ્રિત નહીં પણ પર્યાયાશ્રિત છે એમ કેમ તમે કહ્યું? કેમ કે પર્યાયના ધર્મમાં આવા આવા ભાવો ઉત્પન્ન થાય છે. પરાશ્રિતમાં જાણે પરનો આશ્રય કરે ત્યારે થાય છે. અથવા પર કરાવે છે એ બધું કાઢી અને સઅહેતુક પર્યાય સિદ્ધ કરે છે. પર્યાયાશ્રિત કહીને એ ધર્મ પર્યાયને આશ્રિત છે. પરને આશ્રિત ઉત્પન્ન નથી થયો. સમ્યકજ્ઞાનની પર્યાય આત્માને આશ્રયે થતી નથી. એમ કહેવાય કે આત્માનું લક્ષ છે એટલે આત્માના આશ્રયે થઈ, પણ એમ નથી.
જે વિભાવ થાય છે એ પર્યાયાશ્રિત છે. પરાશ્રિત શબ્દ સાચો છે કેમ કે એ દોષ પરના સંગે થાય છે. કર્મના નિમિત્તમાં જોડાય છે તો રાગને પરાશ્રિત કહ્યો. કેમ કે સ્વઆશ્રિત રાગ ન થાય. એ તો એના નિમિત્તનું જ્ઞાન કરાવ્યું, અને પર્યાયાશ્રિતમાં અશુદ્ધ ઉપાદાનનું જ્ઞાન કરાવ્યું. સમયસારની પ૬ ગાથામાં પર્યાયાશ્રિત કહ્યું છે, પરાશ્રિત નહીં. પર્યાયાશ્ચિત ક્ષણિક ઉપાદાન છે. અને પરાશ્રિત નૈમિત્તિક થાય છે. બે શબ્દમાં ફેર છે.
આહા! પર્યાયાશ્રિતમાં ક્ષણિક ઉપાદાનની સિદ્ધિ થાય છે. અને પરાશ્રિતમાં નૈમિત્તિકભાવની સિદ્ધિ થાય છે. નિમિત્તના લક્ષથી થવાવાળો નૈમિત્તિક ભાવ. (શ્રોતા-એકદમ સ્પષ્ટ...એકદમ સ્પષ્ટ..) બે વાત આવે ત્યારે સમજી લેવું કે આ નિમિત્તના સંગવાળી પર્યાય થઈ માટે પરાશ્રિત એટલે સ્વઆશ્રયે રાગ ન થાય. પરના લક્ષે રાગ થાય. કર્મના ઉદયમાં જોડાય છે પરિણતિ તો રાગ થાય. તો પરાશ્રિત રાગ થાય, સ્વઆશ્રિત રાગ ન થાય બસ એટલું જ છે નિમિત્તની સાપેક્ષથી વાત કરીએ તો નૈમિત્તિક સિદ્ધ કર્યું. અને પર્યાયાશ્રિત કહે ત્યારે ક્ષણિક ઉપાદાન સિદ્ધ કર્યું. એ નિમિત્તથી નિરપેક્ષ છે. ક્ષણિક ઉપાદાન કીધું એટલે ખલાસ થઈ ગયું. ઉપાદાન એટલે તત્ સમયની યોગ્યતા થવા યોગ્ય બસ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com