SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ચૈતન્ય વિલાસ ૧૨૩ ને? કેઃ જીવ ન રખડે એ અજીવતત્ત્વ રખડનાર છે. રખડનાર બીજો છે હું તો અકર્તા છું. નારકની પર્યાયનો મારામાં અભાવ છે. (જિજ્ઞાસા) પ્રભુ તમે અત્યારે નારકી નથી પણ તમે ભૂતકાળમાં નારકી થયા નથી ? ( સમાધાન) કે તું કોની સામે જોશ! તું મારી સામે જો એકવાર કહું–કેમ જોવું? કેઃ તારી સામે જોયા પછી. (શ્રોતા – અપનેકો સંયોગ સે દેખતા હૈ તો ગુરુકો ભી સંયોગ સે દેખતા હૈ.) તને જ્ઞાયક નહીં દેખાય કારણ કે તું સંયોગને અજીવને જુએ છે. તને સ્વભાવ તિરોભૂત થઈ ગયો છે. અજીવને જાણતો હોય ત્યારે જીવને ન જાણી શકે અને જ્યારે જીવને જાણતો હોય ત્યારે અજીવ નહીં દેખાય એટલે પરિણામ નહીં દેખાય. કેમકે પરિણામ અજીવ છે. આ ગાથા જ કોઈ અલૌકિક છે. હે પ્રભુ! તારામાં ભાવો બ્રહ્માંડનાં ભર્યા છે. “ભાવો બ્રહ્માંડનાં ભર્યા છે” તે શબ્દ સારો છે. દ્રવ્યશ્રુત છે. અલૌકિક ચીજ છે. થોડા શબ્દોમાં ઘણું ભર્યું છે. જેટલી શક્તિ હોય તેટલું કાઢી શકે..બાકી આ તો સમુદ્ર છે. નારક પર્યાય મને નથી. તેને કરતો નથી, કરાવતો નથી, અને કોઈ કરે તેને અનુમોદતો નથી, ભૂત-ભવિષ્યને વર્તમાન ત્રણેકાળ લઈ લેવા એમાં! અહીંયાં ભૂતકાળની વાત છે. રાજકોટ વિડિયો કેસેટ નં-૬૩ સવારનું પ્રવચન નં-૧૦ તા. ૧૫-૮-૮૮ આ શ્રી પરમાગમ શાસ્ત્ર એનો પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર છે. ગાથા ૭૭ થી ૮૧ તેની ટીકા. “અહીં શુદ્ધાત્માને સકળ” એટલે બધા પ્રકારના કર્તુત્વભાવ એટલે કર્તાપણાનો અભાવ છે. આત્મા અકર્તા છે, કર્તા નથી, અને અકર્તા છે માટે શુદ્ધ છે. બહુ આરંભ તથા પરિગ્રહનો અભાવ હોવાને લીધે હું નારક પર્યાય નથી.” સંસારી જીવને બહુ આરંભ પરિગ્રહ વ્યવહારથી હોય છે. એટલે કે નિશ્ચયથી હોતા નથી. મિથ્યાષ્ટિ જીવને બહુ આરંભ અને પરિગ્રહના ભાવ વ્યવહારથી હોય છે. એટલે તેની પર્યાયમાં હોય છે એના દ્રવ્યમાં હોતા નથી. વ્યવહારથી હોય છે એટલે વ્યવહારનયના વિષયભૂત જે એના પરિણામ છે એ આરંભ અને પરિગ્રહું પરિણામમાં સંસારી જીવને થાય છે તેનું નિમિત્ત પામીને “નારક આયુના હેતુભૂત”-કારણભૂત-નિમિત્ત કારણભૂત “સમસ્ત રાગ દ્વેષ મોટું હોય છે.” વ્યવહારનયે સંસારી જીવને હોય છે એના નિમિત્તે નરકની પર્યાય પણ થાય છે. પરંતુ “મને ' મને એટલે મારા આત્માને અહીં પદ્મપ્રભમલધારિદેવ ન લેવું. “મને, એટલે શુદ્ધાત્માને “નિશ્ચયનયના બળે શુદ્ધજીવાસ્તિકાયને તેઓ નથી.” નારકની Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008226
Book TitleChaitanyavilas
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2000
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy