SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૪ પ્રવચન નં-૧૦ પર્યાય નથી અને નારક પર્યાયના કારણભૂત આરંભ પરિગ્રહ, મોહ-રાગ-દ્વેષ “મને ” નથી. એટલે મારા આત્માને નથી. કઈ નયે નથી? કેઃ શુદ્ધનિશ્ચયનયે નથી. કઈ નયે છે? કેઃ વ્યવહારનયે છે. અને શુદ્ધનિશ્ચયનયે નથી શુદ્ધ જીવાસ્તિકાયને તેઓ નથી એટલે શુદ્ધ આત્માને તેઓ નથી એક શુદ્ધનિશ્ચયનય શબ્દ વાપર્યો. એનું બળ એટલે સ્વભાવને જોનારી એક નય છેસ્વભાવને જોનારો એક જ્ઞાનનો અંશ છે અને એનો વિષય શુદ્ધ આત્મા જ છે. તે શુદ્ધજીવાસ્તિકાય છે. શુદ્ધ આત્મામાં તે વસ્તુ નથી. નરકેય નથી અને એનું કારણ આરંભ પરિગ્રહ એમાં નથી. તેમજ રાગ-દ્વેષ-મોહ પણ એમાં નથી પર્યાયમાં છે અને દ્રવ્યમાં નથી. સંસારી જીવની પર્યાયમાં છે અને સંસારી જીવના શુદ્ધ આત્મામાં નથી. ભલે સંસારી જીવને વ્યવહારનયે એ દોષ હોય પર્યાયમાં પણ એનો જે આત્મા છે એમાં એ રાગ-દ્વેષ મોહ નથી તેથી આત્મા તેનો કર્તા નથી. એક પ્રશ્ન સીધો થાય છે કે તો એને કોણ કરે છે? વ્યવહારનયે રાગ-દ્વેષ-મોટું છે એમ કહ્યું. વ્યવહારનયે એટલે એની અવસ્થામાં થાય છે. તો એ અવસ્થા તો છે આરંભપરિગ્રહની તો કહે છે કે શુદ્ધનિશ્ચયનયના બળે તેઓ નથી. તેઓ જો નથી તો આત્મા એનો કર્તાય નથી તો એનો કર્તા કોણ છે? કેઃ પુદ્ગલ છે. સીધો સાદો જવાબ આપ્યો છે. જુઓ! “હું નારક પર્યાયને કરતો નથી, કરાવતો નથી અને કરે છે એને અનુમોદન આપતો નથી. ત્રણે બોલ આ પારાની સાથે સાથે છઠ્ઠી પારામાંથી લઈ લેવું. ઉપરમાં જે મથાળું બાંધ્યું છે એ વ્યક્તિગત નથી પણ સમષ્ટિગત મથાળું બાંધ્યું છે. શુદ્ધાત્મા કોને કહીએ છીએ! કે જે કોઈ પણ પરિણામને કરે નહીં. પરિણામનો અકર્તા છે માટે આત્મા શુદ્ધ છે. અપ્રમત્ત પ્રમત્ત નથી આત્મામાં માટે આત્મા શુદ્ધ છે અને જે એમાં ન હોય એનું કર્તાપણું ન હોય. જે જેમાં હોય એનો એ કર્તા હોય. જે જેમાં નથી એનો કર્તા ન હોય. કઈ નયે? કે શુદ્ધનિશ્ચયનયે. શુદ્ધનિશ્ચયનયે એટલે કે સ્વભાવને ગ્રહણ કરનારી જે નય એ સ્વભાવની સમીપે જઈને જુએ તો એમાં મોહ-રાગ-દ્વેષ નથી અને એને કરતો નથી. કેમ કે ઉપયોગમાં ઉપયોગ છે, પણ ઉપયોગમાં આરંભ પરિગ્રહ નથી. માટે કરતો નથી એમ, કરતો નથી કરાવતો નથી અને અનુમોદક પણ નથી. આહાહા! અહીં મને જે શબ્દ વાપર્યો છે એ પોતાથી વાત કરી છે પણ છે સમષ્ટિગત. ઉપર છે. “શુદ્ધઆત્માને”-શ્રમણોને એમ નથી લખ્યું. શ્રમણોને નહીં. મુનિઓને નહીં એમ નથી લખ્યું. “શુદ્ધ આત્માને અમે શુદ્ધ આત્મા આને કહીએ છીએ બધાની પાસે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008226
Book TitleChaitanyavilas
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2000
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy