________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૭
ચૈતન્ય વિલાસ
હું અકર્તા છું એ તો એમને ક્ષાયિક થઈ ગયું છે એને; છતાં પ્રભુ! તમે ફરીથી એને કેમ યાદ કરો છો? કેઃ ચારિત્ર માટે. (શ્રોતા-સ્વરૂપ જ આવું છે માટે એ જ ઘૂંટાય ને?) એ જ ઘુંટાયને બીજું શું ઘુંટાય ! જેના લક્ષે સમ્યક્દર્શન થયું એના લક્ષે જ ચારિત્ર પૂર્ણ થશે.
આહા! અકર્તા એમની દષ્ટિમાં આવી ગયો છે, તો પણ કરવાનો નિષેધ એ શું કામ કરે છે? કે ફરી ફરીને દ્રવ્યને યાદ કરે ત્યારે નિર્વિકલ્પ થવાય છે. આ દ્રવ્યનું ઘોલન છે. દ્રવ્ય ઉપર દૃષ્ટિતો પડી છે પણ ઉપયોગ છૂટી ગયો છે. એકલી દષ્ટિથી થોડો મોક્ષ થાય છે, શુદ્ધોપયોગથી મોક્ષ થાય છે. જ્યાં દષ્ટિ પડી છે ત્યાં ઉપયોગને જોડે છે તો શુદ્ધ ઉપયોગ થઈ જાય છે.
ચારિત્ર ખલ્લુ ધમ્મો”. ચારિત્ર એજ ધર્મ છે. સમ્યકદર્શન તો મૂળ છે અને ચારિત્ર શુદ્ધોપયોગ સાક્ષાત્ મોક્ષનું કારણ છે. અને દર્શન પરંપરાએ મોક્ષનું કારણ છે. છઠ્ઠીમાંથી સાતમામાં આવે છે ત્યારે “હું તો સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું” ત્યાં સાતમું આવી ગયું. તે તો કર્યા વિના અને જાણ્યા વિના જ આવે છે.
કરવામાં રોકાણો કે જાણવામાં રોકાણો તો જીવતત્ત્વ ગયું હાથમાંથી કરવાવાળો અને (પરને) જાણવાવાળો જીવ નથી. અકર્તાને કોઈ કર્મ જ નથીને! અકર્તાને કર્મ દેખાય તો અકર્તા રહેતો નથી.
કર્તાને કર્મ હો તો હો ! એનો અમે ક્યાં નિષેધ કરીએ છીએ. હું તો અકર્તા છું બસ. કર્તાને કર્મ હોય તો એનો નિષેધ કરવાનો અમારો અધિકાર જ નથી. કર્તાને કર્મ હો તો! ભલે હો ! પણ અકર્તાને કર્મ ન હોય. અમારી જે વાત છે ને તે વિશિષ્ટ જુદા પ્રકારની છે. જેમ જીવને કોઈ પરિણામ ન હોય તેમ અકર્તાને કોઈ કર્મ ન હોય. માટે તે જ્ઞાનમાં શેય થતું નથી. જ્ઞાનમાં અકર્તા ય થાય છે. પ્રમત્ત અપ્રમત્તથી રહિત જ્ઞાયક ય થાય છે.
અજીવથી ભિન્ન જીવ છે એ જણાય છે. અજીવથી ભિન્ન જીવ એકલો છે તે જણાય છે, બીજું કાંઈ જણાતું જ નથી. જીવ અજીવને કરે? જીવ અજીવને ન કરે અને જીવ અજીવને જાણે નહીં. આહાહા! હવે અરિહંતને યોગનો વિરોધ કરવા માટે થઈને સમોસરણ છોડીને, નીચે આવીને બેસે છે ધ્યાનમાં, ત્યાં વિકલ્પ ભલે નથી તો પછી છઠ્ઠી ગુણસ્થાનવાળાને તો આ પ્રતિક્રમણ હોય જ ને! એમાં શું? તેઓ તો કષાયનું પ્રતિક્રમણ કરે છે હજી યોગનું પ્રતિક્રમણ બાકી છે. કષાયનું પ્રતિક્રમણ થાય પછી યોગનું પ્રતિક્રમણ આવે છે. | મુનિરાજને મિથ્યાત્વ અવ્રતનું પ્રતિક્રમણ અગાઉ થઈ ગયું છે. અત્યારે કપાયનું પ્રતિક્રમણ કરે છે. કષાય એટલે પાંચ મહાવ્રતના પરિણામનો વિકલ્પ ઉઠે છે એ કષાય છે. સંજ્વલનના બે ભેદ છે તીવ્ર અને મંદ, છઠ્ઠ તીવ્ર કહ્યો છે સાતમે અબુદ્ધિપૂર્વકનો મંદ છે,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com