________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૦૧ સર્વજ્ઞ ભગવાને કહ્યું અને અમે અનુભવ્યું અને અનુભવીને કહીએ છીએ કેઃ “આત્મા અકર્તા છે.” કેમ શા માટે અકર્તા છે? કે કાર્યનો કર્તા નથી, પરિણામનો કર્તા નથી, ચૌદમાર્ગણાસ્થાન, રાગ-દ્વેષ-મોહ, ક્રોધ-માન-માયા-લોભ તેને વર્તમાનમાં તો કરતો નથી....અને ભૂતકાળમાં કર્યા નથી અને ભવિષ્યકાળે કરવાની વાત તો રહેતી જ નથી. કેમકે બે-ચાર ભવમાં તો સિદ્ધ થવાનો છે.
આહાહા! કરવાનો કાંટો કાઢી નાખ, “હું જ્ઞાતા છું કર્તા નથી બસ.” “હું જાણનાર છું કરનાર નથી.' કેવળ જાણનાર છે. કથંચિત કર્તા અને કથંચિત્ જ્ઞાતા એવું અનેકાન્ત કરો ને?! કહે એવું અનેકાન્ત નથી. “જ્ઞાતા છું ને કર્તા નથી' એનું નામ અસ્તિ-નાસ્તિ અનેકાન્ત છે. આ અપૂર્વ વાત છે. કઠણ તો છે પણ છે અમૃત જેવી. બેસે તો ન્યાલ થઈ જાય. સંતોની વાત અપનાવવા જેવી છે. અજ્ઞાનીઓની વાત અપનાવવા જેવી નથી. અજ્ઞાનીની વાત સાચી લાગશે તો પોતાનું અજ્ઞાન પુષ્ટ થશે અને જ્ઞાનીઓની વાત સાચી લાગશે તો અલ્પકાળમાં મુક્તિ થશે.
બહુ આરંભ તથા પરિગ્રહનો અભાવ હોવાને લીધે; અભાવ થવાને લીધે નહીં. ત્રણેકાળ આરંભ અને પરિગ્રહ એવા જે પરિણામ, પરિણામમાં જે દોષ આવે છે, એ પરિણામ આત્માએ કર્યો નથી. તો એ પરિણામ ભૂતકાળમાં કોણે કર્યા? કેઃ એને પુદ્ગલ કરતો હતો હું કરતો ન હતો તેનું આજે મને ભાન થયું. મને ભૂતકાળમાં એમ લાગતું હતું કે હું કરતો હતો, આજે મને ભાન થયું કે હું કરતો ન હતો, હું તો કર્તાપણું માનતો હતો. માટે એ મારું મિથ્યાત્વ હતું.
આજે અકર્તાના દર્શન થયા તો એ જ્ઞાન એટલું લંબાઈ ગયું કે ભૂતકાળમાં ય અકર્તા, વર્તમાનમાં અકર્તા અને ભાવિકાળે પણ હું અકર્તા રહેવાનો છું. એક સમય તો સૌ સમય. આજે મને અકર્તા છું એમ શ્રદ્ધા જ્ઞાનમાં આવ્યું તો જ્ઞાન લંબાઈ જાય છે કે ઓહોહો ! ત્રણેકાળ અકર્તા હતો. તો નારક પર્યાય કોણે કરી? મને કહેશો મા કે નારકીના ભાવ મેં કર્યા હતા, મને બોલાવશોમાં (પ્રશ્ન) તો આપે નથી કર્યા? કેઃ “ના” , નથી કર્યા. તું મને જો ને? તો તને ભાસશે કે હું કર્તા ન હતો. (પ્રશ્ન) હું તમને જોઈને કહું છું, શાસ્ત્રમાં આવે છે કે ભૂતકાળમાં નારકની પર્યાય કરી હતી. (ઉત્તર) આ જે તું જુએ છે એ તો અજીવ છે. અજીવને જોતાં મારું સ્વરૂપ તને ખ્યાલમાં નહીં આવે. તું મને જો ને? આત્માને જ ને? પણ....તમને કેમ જોવા!? કેઃ તું તારા આત્માને જોઈને મારા સામે જો, તો તારું કામ થઈ જશે.
બહુ આરંભ તથા પરિગ્રહનો અભાવ હોવાને લીધે. હું નારક પર્યાય નથી. સંસારી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com