SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ચૈતન્ય વિલાસ ૯૫ ત્યાં આગળ શુદ્ધ વિશેષણ લગાડી દેવું. પ્રત્યેક આત્મા ભગવાન છે પરમાત્મા છે. એવા “શુદ્ધ આત્માને સકળ કર્તુત્વનો અભાવ દર્શાવે છે.” આત્મા ત્રણેય કાળ અકર્તા છે માટે શુદ્ધ છે. અકર્તા છે માટે શુદ્ધ છે એટલે કે કોઈનો કર્તા નથી છ દ્રવ્યનો કર્તા નથી. તે દ્રવ્યકર્મનો કર્તા નથી, ભાવકર્મનો કર્તા નથી, અને ઉત્પન્ન થતા ભેદો એ બધાને ઉત્પન્ન કરનાર પુદ્ગલ છે. પુદ્ગલ કરે છે તો કરો! હું તો એનો કર્તા નથી. પ્રતિક્રમણનો એવો અર્થ છે કે પૂર્વે લાગેલા દોષોથી પાછા ફરવું એટલે પૂર્વે લાગેલા જે દોષો છે એ દુષ્કૃત્ય મિથ્યા હો! એવો અર્થ પણ છે. જે કાંઈ એકતાબુદ્ધિનો દોષ હોય, કે અસ્થિરતાનો દોષ થઈ ગયો હોય તે મિથ્યા હો ! મિથ્યાદષ્ટિએ મિથ્યાત્વનું પ્રતિક્રમણ કરવાનું હોય છે; અવિરત સમ્યકષ્ટિએ અવ્રતના ભાવનું પ્રતિક્રમણ કરવાનું હોય છે. અને મુનિરાજ કષાયનું પ્રતિક્રમણ કરતા હોય છે. પૂર્વે લાગેલા દોષ એકતાબુદ્ધિનો તે મિથ્યા હો! કેમકે પૂર્વે હું મારા આત્માને કર્તા માનતો હતો એ મારી ભૂલ હતી. પૂર્વે હું તો જ્ઞાતા જ હતો. એક સમયમાત્ર પણ હું કર્તા થયો ન હતો. કર્તા થઈ શકું એ મારા સ્વભાવમાં નથી. કેમકે અકર્તા ત્રણેયકાળ અકર્તા રહે છે. એક સમયમાત્ર પણ રાગનો કર્તાએ ભૂતકાળમાં થયો ન હતો. મેં આજે અકર્તાનું સ્વરૂપ જેવું જોયું તો ભૂતકાળમાં પણ હું અકર્તા હતો એવું આજે મને ભાન થયું. આજે મેં અકર્તા જોયો તો ભૂતકાળમાં પણ હું અકર્તા જ હતો એમ મને મારા વર્તમાન જ્ઞાનથી ભૂતકાળનો મારો આત્મા પણ જણાય ગયો. વર્તમાનમાં હું અકર્તા છું એવી દષ્ટિ થતાં અનુભવ થયો. કર્તા બુદ્ધિથી મિથ્યાત્વ હતું. હવે આજે પાંચ રત્નોનું અધ્યયન કરતાં હું સાક્ષાત અકર્તા છું, એક સમયમાત્ર પણ પરિણામના ભેદનો કે ભાવકર્મનો કે દ્રવ્યકર્મનો કે નોકર્મનો ભૂતકાળમાં હું કર્તા થયો ન હતો. માનતો હતો એ મારું દુષ્કૃત્ય હતું, તે મિથ્યા થાઓ. ભૂતકાળનું પ્રતિક્રમણ, વર્તમાનની આલોચના એટલે!? ભૂતકાળમાં લાગેલા દોષ એને છોડે, સ્વભાવમાં જાય, વર્તમાનમાં દોષ થાય એને છોડીને અંદરમાં જાય તો આલોચના; અને ભાવિકાળે જ્યાં સુધી મારો મોક્ષ ન થાય ત્યાં સુધીના કાળ દરમ્યાન હું પ્રતિજ્ઞા કરું છું કે કોઈ પણ પરિણામ ઉત્પન્ન થશે એનો કર્તા હું બનીશ જ નહીં. હું જ્ઞાતા રહીશ એને ભાવિના પચખાણ કહેવાય. આ બધાનો સમય એક છે. અકર્તા ઉપર લક્ષ ગયું-કે: “હું જ્ઞાયક છું', “જ્ઞાતા છું', ત્યાં આત્માનો પ્રત્યક્ષ અનુભવ થાય છે. જેવો આત્મા છે એવો અનુભવ થાય છે. કર્તા બુદ્ધિથી અનુભૂતિ રોકાતી 'તી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008226
Book TitleChaitanyavilas
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2000
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy