SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ચૈતન્ય વિલાસ ૯૧ પરમાર્થ પ્રતિક્રમણ-શુદ્ધોપયોગ ના આવે. ભેદ કાંઈ જાણવાની વસ્તુ છે? કરવાની વસ્તુ તો નથી, પણ જાણવાની એ વસ્તુ નથી. એક અભેદ સામાન્ય ટંકોત્કીર્ણ એની સામે અમારો ઉપયોગ જ્યાં ગયો ત્યાં પરમાર્થ પ્રતિક્રમણ થઈ ગયું બસ. કહે શેને ભાવતાં અમારું પરમાર્થ પ્રતિક્રમણ થાય છે? કેઃ સહુજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને ભાવતા થાય છે. “આને કરું છું એ છોડી દીધું અને આને જાણું છું એ પણ છોડી દીધું. એને ઓળંગી ગયા, કેમકે એને જાણે તો છઠું આવે છે. જાણેલો પ્રયોજનવાન એ તો સવિકલ્પ દશાની વાત છે, આ તો નિર્વિકલ્પ ધ્યાનની વાત છે. (અહીં જાણેલો પ્રયોજનવાન) તેનું તો પ્રતિક્રમણ કરવું છે. કેમકે ભેદને જાણતાં અભેદ રહી જાય છે અભેદ જાણવામાં નથી આવતું. બે વાત કરી છે કે: ભેદને જાણતાં પરમાર્થ પ્રતિક્રમણ ન થાય પણ વ્યવહાર ચારિત્ર ઉભું થાય. ભેદને કરવું એ તો મારા સ્વભાવમાં નથી....પણ, ભેદને જાણતાં વ્યવહાર ઉભો થશે નિશ્ચય ઉભો નહીં થાય. શ્રેણીની સન્મુખની આ વાત છે. શ્રેણીમાં જાય ને ત્યારે આ રીતે સ્થિતિ થાય. તે પાછો ફરે નહીં. આમાં તો છઠ્ઠામાંથી સાતમા માં આવે છે; પછી પાછો ફરતો નથી, ઉપર ગયો એ ગયો ખલાસ. તેથી ભેદ એ કાંઈ જાણવાની વસ્તુ નથી. ભેદને જાણતાં આનંદ વધતો નથી. અભેદને જાણતાં સામાન્યને જાણતાં વૃદ્ધિ આવી જાય છે. આ ત્રણ ગાથા થઈ. “હું રાગ નથી, દ્વેષ નથી, તેમજ મોહ નથી; તેમનું હું કારણ નથી.” ઉપરની ગાથામાં કર્તા નથી એમ આવે છે. અને આ ગાથામાં કારણ નથી એમ આવે છે. ત્રીજી ગાથામાં હું બાળ નથી અને તેનું કારણ નથી આ બે ગાથામાં “હું તેમનું કારણ નથી', અને ત્રણ ગાથામાં હું કર્તા નથી તે કહ્યું. કર્તા નથી એટલે ઉપાદાન કર્તા નથી. અને કારણ નથી એટલે નિમિત્ત કારણ નથી એમ બન્નેમાં ફેર છે. રાગનું હું કારણ નથી એમ. રાગ છઠ્ઠામાં આવ્યો પણ મારા કારણે રાગ થાય છે એમ નથી. રાગ આવે છે ત્યારે મારો આત્મા એના કારણરૂપે છે ને રાગ આવે છે એમ નથી. રાગનો હું કર્તા થાઉં અને રાગ મારું કર્મ થાય એમ નથી. કારણની સામે, કાર્ય અને કર્તાની સામે કર્મ બે શબ્દ જુદા છે. રાગ કર્તાનું કર્મ નથી અને કારણનું કાર્ય નથી હું કારણ હોઊં તો આ મારું કાર્ય થઈ જાય પણ હું કારણ નથી માટે એ મારું કાર્ય થતું નથી. એ કાર્ય છે ખરું! પણ હું એનું કારણ નથી. એનું કારણ પુદ્ગલ દ્રવ્ય છે. એકસ્ય હી પુલસ્ય નિર્માણમ્” એક પુદ્ગલ દ્રવ્યનું જ આ બધુ પરિણામ છેરચના છે. મારી રચના છે એમ હે! અજ્ઞાની જીવો ન માનો! ! તમારો આત્મા તમારા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008226
Book TitleChaitanyavilas
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2000
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy