________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૧
ચૈતન્ય વિલાસ
આહાહા! મોક્ષની તો વાંછા નથી પણ નિજ પરમતત્ત્વની પણ વાંછા નથી. આહાહા! મને પ્રાપ્ત થાઓ એની વાંછા શું?! “હું જ છું.” તે પોતે જ છો, બીજી વસ્તુ હોય તો એની વાંછા હોય ! પણ જ્ઞાયકની વાંછા હોય?! હું તો જ્ઞાયક જ છું. પારકી વસ્તુની વાંછા હોય પોતાની વસ્તુની વાંછા ન હોય. વાંછા પર છે. નિજ પરમ તત્ત્વની પણ વાંછા-ઈચ્છા, અભિલાષા નહીં હોવાથી નિષ્કામ છે. એ કેવી વસ્તુ છે જુઓ !
“હું જાણનાર છું કરનાર નથી. આટલું બસ છે. આપણી સામે આ પાંચ રત્નની સાક્ષી છે. “કરનાર નથી હું જાણનાર છું.” આપણે પેલું લીધું કેઃ “હું જાણનાર છું કરનાર નથી.” આપણે અહીંથી (સ્વતરફથી) લીધું. અહીંયાં આ ગાળામાં એક લીધું કે હું કરનાર નથી અને હું જાણનાર છું. એક જ વાત છે. નિષેધ પૂર્વક વિધિમાં આવે છે.
જેને કરવાની બુદ્ધિ છે તેને કરનાર નથી એમ જ કહેવું પડે કારણકે નિષેધ પૂર્વક વિધિમાં આવી જાય છે. નિષેધમાં લાયકાત અને વિધિમાં અનુભવ થાય છે એ બરાબર છે. “હું જાણનાર છું કરનાર નથી બધા શાસ્ત્રોનો સાર છે.” આ ગાથા ઊંચામાં ઊંચી છે.
જાણનાર છું કરનાર નથી. હું જાણનાર છું તો એમાં ચૈતન્યના વિલાસ સ્વરૂપને ભાવું છું એ આવી ગયું. હું જાણનાર છું એમાં જાણનારને જાણવારૂપે પરિણમી ગયો. પરિણમી ગયો એમ કહેવું છે. ભેદને જાણતો નથી જાણનારને જાણવારૂપે પરિણમે છે.
હું જાણનાર છું” તેમાં જાણનારમાં હું પણું આવ્યું ને! એટલે પરિણમન થઈ ગયું. “ચેતનારો તે જ હું”, “દેખનારો તે જ હું”, “જાણનારો તે જ હું', આ આધાર એનો. આહાહા! હું જાણનાર છું તો હું પણું તો જાણનારમાં આવ્યું ને?! તો અંદરમાં પરિણમન થઈ ગયું ને!? પોતે પોતાને જાણવારૂપે પરિણમે ત્યારે હું પણું આવ્યું. હું જાણનાર છું” તો હું પણું તો જ્ઞાયકમાં આવ્યું ને!? જ્ઞાયક કહો કે જાણનાર કહો એક જ વાત છે.
સાધક અનુભવ કરીને નિષેધ કરે છે. જો એમને એમ નિષેધ કરે તો વિકલ્પ ઉઠે અને તો વિકલ્પના કરનાર બને. નિષેધાત્મક વિકલ્પનો પણ કરનાર નથી અને વિધિના વિકલ્પનો પણ કરનાર નથી, હું તો જાણનાર છું.
આ તો કોઈ શાસ્ત્ર છે. શાસ્ત્ર એમ કહે છે મારો સ્વાધ્યાય કરતાં એક ધ્યાન રાખજે તારે મોક્ષમાં જવું નહીં હોય તો પણ મોક્ષમાં પહોંચાડી દઈશ એવું મારું નિમિત્તપણું છે. તેથી સમજીને સ્વાધ્યાય કરજે. તારે જાણનારમાં નહીં જાઉં હોય તો પણ ધક્કો મારીને જાણનારમાં પહોંચાડી દઈશ. તારી કર્તા બુદ્ધિ છોડાવી દઈશ. આ શાસ્ત્રનો એવો અતિશય છે.
આ શાસ્ત્રો જાણનારાને બતાવનારા છે. હું જાણનાર, તું પણ જાણનાર, બધા જીવો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com