________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ સમજી ગયા. ભૂતકાળના દોષના પરિહાર અર્થે-નાશ અર્થે પ્રાયશ્ચિત કરવામાં આવે છે. મેં ભૂતકાળમાં શુભાશુભ ભાવ કર્યા નથી અને મેં કરાવ્યા નથી, અને બીજો કરે છે એનું અનુમોદન પણ હું કરતો ન હતો. આમ ભૂતકાળનાં જે દોષ હતા એનો વર્તમાનમાં હું પરિહાર કરું છું એટલે દોષોને ટાળી દઉં છું તેનું નામ પ્રતિક્રમણ છે. ભૂતકાળ તો જતો રહ્યો છે પણ મેં કર્યું તું કે મેં કરાવ્યું તું એમ નહોતું. ભૂતકાળનું ‘હું પણું’ એમાંથી ખેંચી લીધું.
ભૂતકાળમાં મેં દોષ કર્યો હતો? કેઃ “ના” . ભૂતકાળમાં મેં દોષ કર્યો જ ન હતો. હું તો આત્મા છું એમ ! હું તો શુદ્ધાત્મા છું. સામાન્યના પડખે જઈને દોષનો પરિહાર કરું છું. ભૂતકાળમાં હું કરનાર નહતો મને કહેતા નહીં મે દોષ કર્યો હતો. આહાહા ! એનું નામ પ્રતિક્રમણ છે. ભૂતકાળમાં કર્તા બુદ્ધિ હતી હવે એ કર્તા બુદ્ધિને ખેંચી લે છે. કે હું કરનાર ન હતો બીજો કરતો” તો. બીજો કરતો” તો હું તો જાણનાર હતો. મને અત્યારે ભાન થયું કે હું જાણનાર છું તો ભૂતકાળમાં પણ જાણનાર અને ભવિષ્યકાળમાં પણ જાણનાર. વર્તમાનમાં જાણનાર તો ત્રણેય કાળ જાણનાર બસ. તો ત્રણેય કાળના દોષ છૂટી જાય છે.
ભૂતકાળ જે ગયો તેનો અત્યારે ત્યાગ કેમ કરવો? એ પર્યાય તો વ્યય થઈ ગઈ. કે. ભૂતકાળમાં હું કરનાર ન હતો પણ ભૂતકાળમાં હું જાણનાર હતો. એ ભૂતકાળનો દોષ ટળી ગયો એમ. ભૂતકાળમાં હું કરનાર અને વર્તમાનમાં જાણનાર તો દોષ આવી જાય એટલે માલ છે એમાં.
વર્તમાનમાં હું જાણનાર છું તો ત્રણેય કાળ હું જાણનાર છું. ભૂતકાળમાં પણ હું જાણનાર હતો અને વર્તમાનમાં હું જાણનાર થયો એમ નથી. એટલે ભૂતકાળનો દોષ આ રીતે ટાળે છે. જો (ભૂતકાળનો) કરનાર માને તો પ્રતિક્રમણ ક્યાંથી થાય?! એ તો અપ્રતિક્રમણ છે. એ અપ્રતિક્રમણનું તો પ્રતિક્રમણ કરે છે.
હવે ભૂતકાળમાં નજર લંબાવીએ છીએ તો ભૂતકાળમાં દોષ કોણ કરતો હતો? કે: “હું નહીં.” હું તો જાણનાર છે. વર્તમાનમાં જાણનાર જોયો તો ભૂતકાળમાં જાણનાર હતો એ સિદ્ધ થઈ ગયું અને ભવિષ્યકાળે પણ જાણનાર જ રહીશ. કરનાર થવાનો નથી. ભૂતનું પ્રતિક્રમણ, વર્તમાનની આલોચના, અને ભવિષ્યના પ્રત્યાખ્યાન સમય એક છે. એક શુદ્ધોપયોગના ત્રણ ભેદ છે.
પ્રતિક્રમણ કહે છે તો ભૂતના દોષથી નિવર્યો માટે, અને પ્રત્યાખ્યાન કરે છે કે ભવિષ્યમાં દોષ નહીં કરું, એ જ પર્યાયનું નામ પ્રત્યાખ્યાન છે. સમય એક છે. ભૂતની અપેક્ષા એ પ્રતિક્રમણ, ભાવિની અપેક્ષાએ પ્રત્યાખ્યાન અને વર્તમાનની અપેક્ષાએ આલોચના. એક શુદ્ધોપયોગનાં ત્રણ વિવિક્ષાથી ત્રણ ભેદ છે.
ભૂતકાળમાંથી પોતાને ખેંચી લે છે. હું તો ભૂતકાળમાંય જ્ઞાયક-જાણનાર હતો. વર્તમાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com