SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ७८ પ્રવચન નં-૬ જાણે તો કરવાનો વિકલ્પ ઉઠે ને? પણ જાણતો જ નથી તો પછી કરવાનો વિકલ્પ ક્યાં ઉઠે? આ દોરીને હું જાણતો જ નથી તો પછી દોરીને હું કરતો નથી એ નિષેધ એમાં આવી ગયો. કર્તાનો પ્રશ્ન નહીં ઉઠે. બેનો નિષેધ એમાં આવી ગયો. કરતો નથી, જાણતો નથી તેમ બે વાર નિષેધ નહીં કરવો પડે. જાણતો જ નથી એટલે કરવાનો નિષેધ એમાં આવી ગયો. જાણું તો કરું ને!? અને પર્યાયનું કરવું તો સ્વભાવથી જ નથી. કેમકે આત્મા નિષ્ક્રિય છે. ભેદને કરતો નથી અને જાણતોય નથી ભેદને એવો ૧૧૪ ગાથામાં આચાર્ય ભગવાને આપણને ઉપદેશ આપેલો જ છે. એ જ ઉપદેશનો આપણે સ્વાધ્યાય કર્યો. એ જ કુંદકુંદ ભગવાને ૩૨ ગાથામાં કરતો નથી પણ જાણું છું એટલું રાખ્યું છે. જાણું છું (ભેદને) એમ રાખ્યું છે એટલે શુદ્ધોપયોગ થતો નથી. સંવર-નિર્જરા ને જાણે છે તે સવિકલ્પદશાની વાત છે. અલૌકિક વાતો છે. પરિણામનું જાણવું જ્યારે બંધ થાય છે ત્યારે નિર્વિકલ્પ ધ્યાન આવે છે. આ હકીકત છે. એટલે હું એને જાણતો જ નથી. પરિણામ એ પરદ્રવ્ય જ છે ને!? પરને હું જાણતો જ નથી જાણનાર જણાય છે, એમાં શુદ્ધોપયોગ પ્રગટ થાય છે. (શ્રોતા – સવિકલ્પ દશામાં પરનું જાણવું થતાં જ વિકલ્પ ઉભો થાય છે.) જાણવું બંધ થયું તો શુદ્ધોપયોગમાં આવી ગયો. એ જ નિર્વિકલ્પ ધ્યાનનો પ્રયોગ છે. હું મિથ્યાદષ્ટિ આદિ ગુણસ્થાનોને કરતો નથી.” તો પછી આપ શું કરો છો? મુનિરાજ કહે છે હું શું કરું છું? “સહુજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું. હું તો જાણું છું અને માત્ર જાણું છું કોને? કે પોતાના આત્માને કરતો નથી એની સામે જાણું છું એમ જ આવે ને!? હવે જાણું છું તો કોને? કે ચૈતન્યના વિલાસ સ્વરૂપ પોતાના આત્માને જાણું છું બસ. આ રીતે કરતો નથી, કરાવતો નથી, અને અનુમોદન પણ કરતો નથી એ વિષે સમજી લેવું. “આ રીતે પાંચ રત્નોના શોભિત કથન વિસ્તાર દ્વારા સકળ વિભાવ પર્યાયોના સંન્યાસનું (ત્યાગનું) વિધાન કહ્યું છે. એટલે કરવાપણાની બુદ્ધિનો ત્યાગ કરવાના વિકલ્પને છોડી દેવો એમ. વિભાવ પર્યાયોના સંન્યાસનું એટલે ત્યાગનું વિધાન કહ્યું છે. “વિભાવપર્યાયો નો ત્યાગ” એટલે કે હું એનો કરનાર નથી તેનું નામ ત્યાગ. (શ્રોતા:- ભાઈ, આ તો પ્રતિક્રમણ છે ને!? તો આ ભૂતકાળના દોષોથી પાછો ફરવામાં આવે છે.) આના પછીની ૮૨ મી ગાથામાં છે. પેજ નં. ૧૫૬ “અતીત (ભૂતકાળના) દોષના પરિહાર અર્થે જે પ્રાયશ્ચિત કરવામાં આવે છે તે પ્રતિક્રમણ છે.” Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008226
Book TitleChaitanyavilas
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2000
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy