SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ચૈતન્ય વિલાસ ૭૧ ચૌદ ગુણસ્થાનના ભેદો છે એને કરતો નથી, કરાવતો નથી, અને કર્તાને અનુમોદતો નથી, અને એનું કારણ પણ નથી; એ ભેગું લઈ લેવું. કર્તા નથી અને એનું કારણ પણ નથી. નિમિત્ત કારણ નથી જાણનાર નિમિત્ત ન હોય, જાણનાર કર્તા ન હોય, જાણનાર છે એ કર્તા તો બની શકતો નથી પણ જાણનાર નિમિત્ત ન હોય. જાણવાના સ્વભાવમાં નિમિત્તપણું નથી બસ. જાણવું...જાણવું...જાણવું... જાણવું...જાણવું....છે. બાકી વ્યવહારનાં કથનો એવા પણ આવે કે કેવળજ્ઞાનને લોકાલોક નિમિત્ત છે અને લોકાલોકને કેવળજ્ઞાન નિમિત્ત છે. એવો પાઠ આવે ખરો! આહાહા! એ વાત અલગ છે. સંધ્યાબેન! આ વાત કોઈ અલૌકિક છે હોં! એકલો જ્ઞાનાનંદ પરમાત્મા જણાય છે બીજું કાંઈ જણાતું નથી. આહાહા ! સ્વપર પ્રકાશક વ્યવહાર છે. કેવળજ્ઞાન જાણો તો જાણો લોકાલોકને. હું નથી જાણતો લોકાલોકને કારણકે હું કેવળજ્ઞાન નથી. મારામાં જાણવાની ક્રિયાનો જ અભાવ છે. શ્રી સોગાનીજીએ આ વાત કરી છે. કે. કેવળજ્ઞાનની પર્યાય લોકાલોકની સાથે શેયજ્ઞાયક સંબંધ રાખે તો ભલે રાખે! પણ મને જ્ઞાયકને એની સાથે કોઈ સંબંધ નથી. કેમકે શેય-જ્ઞાયક સંબંધ પર્યાયની સાથે છે ને!? દ્રવ્યની સાથે કોઈ સંબંધ નથી. આહાહા ! એટલે કેવળજ્ઞાન લોકાલોકને નિમિત્ત છે, લોકાલોક કેવળજ્ઞાનને નિમિત્ત છે એ વ્યવહારનું કથન છે. હું તો કેવળજ્ઞાનથી જુદો છું. મારામાં કેવળજ્ઞાન નથી તો કેવળજ્ઞાન વડે હું લોકાલોકને જાણું એ ક્યાં રહ્યું?! બસ હું તો જ્ઞાયક છું. આહાહા! આ વાત એવી છે કેઃ ટોંચની, લાસ્ટ ધ્યેયની વાત છે. ધ્યેય કેવું છે? કે: ધ્યેયમાં ધ્યાનનો અભાવ છે. મને પ્રસિદ્ધ કરે એ જ્ઞાનની પર્યાયનો મારામાં અભાવ છે. તો પરને પ્રસિદ્ધ કરે એની વાત તો દૂર રહો. જ્યારે પરની સાથે જાણવાનો સંબંધ છૂટે છે ત્યારે જ આત્મા જણાય છે. બસ એ સિવાય આત્મદર્શન થતા જ નથી. મને બીજું કાંઈ જણાતું નથી. “એકાહમ' ભેદ પડ્યોને !? લોકાલોકને જાણે છે ભેદ પડ્યો ને!? પર્યાય આત્માને જાણે છે, એય ભેદ છે એમાં શુદ્ધોપયોગ થતો નથી. અહીંયા તો શુદ્ધોપયોગ કેમ થાય તેની વાત છે. ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને ભાવું છું. દેવલાલી વિડિયો કેસેટ નં. ૨૮-પ્રવચન નં-૬ તા. ૭-૧૨-૮૭ શ્રી નિયમસારજી પરમાગમ શાસ્ત્ર છે. તેનો નિશ્ચયચારિત્રનો અધિકાર અહીંથી શરૂ થાય છે. વ્યવહાર ચારિત્રનો અધિકાર પૂરો થયો તેની ૭૭ થી ૮૧ પાંચ ગાથા છે. આખા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008226
Book TitleChaitanyavilas
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2000
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy