SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૦ પ્રવચન નં-૫ સરખું કાર્ય તો આવતું નથી, માટે પર્યાયનો કર્તા પર્યાય છે એ નિર્દોષ કથન છે. એમાં તો નિમિત્તની-સાપેક્ષની અપેક્ષાએ એનો કર્તા કહ્યો છે. બાકી ખરેખર તો પર્યાયનો કર્તા પર્યાય છે. (કોઈ તર્ક કરે ને!) પર્યાય દ્રવ્ય વિના ન હોય! ! તારે દ્રવ્ય જોઈએ છીએ ને!? તો પુદ્ગલ દ્રવ્ય રાગદ્વેષને કરે છે લે ! પર્યાય સ્વતંત્ર છે. હું કર્તા નથી, તું (પુદ્ગલ) પણ કર્તા નથી લે! કરવાની વાત તો ક્યાંય રહી બોલો! પરિણામ મારા નથી પછી કરવાનો પ્રશ્ન ક્યાં રહ્યો !? જે જેનામાં ન હોય એવું કરવું ક્યાંથી હોય ?! જેમ બે દ્રવ્ય વચ્ચે કર્તાકર્મ સંબંધ ન હોય તેમ દ્રવ્ય પર્યાય વચ્ચે કર્તાકર્મ સંબંધ નથી. કેમકે તત્ સ્વરૂપમાં જ કર્તાકર્મ સંબંધ હોય તત્ સ્વરૂપમાં જ જ્ઞાતા યપણું હોય. તત્ સ્વરૂપમાં પણ કર્તાકર્મપણું ન હોય. દ્રવ્ય કર્તાને પર્યાય કર્મ તે જ્ઞાનપ્રધાન છે, વ્યવહારનું કથન છે. તત્ વ્યવહારનું કથન છે. પર્યાયનો કર્તા પર્યાય છે, દ્રવ્ય તેનો કર્તા નહીં. દ્રવ્યમાં કર્તાપણું નથી માટે તત્પણું આવે જ નહીં. હાં ! તો પછી વ્યાપ્ય ક્યાં રહ્યું !? તત્ સ્વરૂપ ક્યાં રહ્યું!? એ તો રાગનો કર્તા નથી તેવી અપેક્ષા લઈએ ત્યારે તસ્વરૂપમાં કર્તાકર્મ હોય. આત્મા જ્ઞાતા અને જ્ઞાનનો કર્તા સમજી ગયા ! અહીંયા તો અકર્તા આત્મા જ્ઞાનની પર્યાયનો કર્તા નથી. અહીંયા તો એ વ્યવહારનો નિષેધ કરવો છે. ચૌદગુણસ્થાનનો, તેરમાં ગુણસ્થાનનો કર્તા આત્મા નથી એમ કહેવું છે. અહીંયા તો ક્ષાયિક સમ્યકદર્શનનો કર્તા નથી. માર્ગણાસ્થાનમાં ક્ષાયિક સમ્યક્દર્શન આવી ગયું, ક્ષાયિક ચારિત્ર આવી ગયું, કેવળજ્ઞાન આવી ગયું, આહાહા ! એનો કર્તા નથી. આત્માને પરિણામનો કર્તા કહ્યો હોય એ તો પરથી જુદો પાડવા માટે હોય કથન. આ તો પર્યાયમાત્રથી ભિન્ન છે, તેથી હું એનો કર્તા નથી; તેથી અંદરમાં જવાય છે. હું અંદરમાં કેમ ગયો ? “ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્મામાં કેવી રીતે આવ્યો?! કે પર્યાયનું કર્તાપણું છૂટી ગયું. જીવને પરિણામ ન હોય, એ ખરા જીવનું સ્વરૂપ છે. તે જીવ તત્ત્વ છે. ખરું જીવનું સ્વરૂપ ત્યારે જણાય કે પરિણામ મારામાં નથી. જીવનું સ્વરૂપ એ છે કે તેમાં પરિણામ નથી. હું કેવળજ્ઞાન નથી હું તો જ્ઞાયક છું. પરિણામ મારામાં નથી, પરિણામ મારામાં નથી, પરિણામ માત્રથી ભિન્ન છું. હું માર્ગણાસ્થાનનાં ચૌદ ભેદોને કરતો નથી. સહજ ચૈતન્યનાં વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું. કરતો નથી એમાં લઈ લેવું કારિયતા નથી, અનુમંતા નથી. માર્ગણાસ્થાનમાં તો શુદ્ધપર્યાય બધી આવી ગઈ. ઉપશમ સમ્યકદર્શન, ક્ષયોપશમ સમ્યફદર્શન, ક્ષાયિક સમ્યક્દર્શન, ઉપશમ ચારિત્ર, ક્ષાયિક ચારિત્ર, ક્ષયોપશમજ્ઞાન ક્ષાયિકજ્ઞાન બધું ભેદ પ્રભેદ આવી ગયું એમાં. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008226
Book TitleChaitanyavilas
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2000
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy