________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વિધાર્થી- દ્રવ્ય, ગુણ, પર્યાયને જાણવાથી લાભ શું છે? શિક્ષક- હું અને તમે પણ જીવ દ્રવ્ય છીએ, અને દ્રવ્ય ગુણોનો પિંડ હોય છે તેથી
આપણે પણ ગુણોના પિંડ છીએ. એમ જ્ઞાન થતાં “આપણે દીન, ગુણહીન છીએ” એવી ભાવના નીકળી જાય છે, તથા મારામાં અસ્તિત્વ ગુણ છે તેથી મારો કોઈ નાશ કરી શકતું નથી, એવું જ્ઞાન થવાથી અનંત નિર્ભયતા આવી જાય છે.
જ્ઞાન આપણો ગુણ છે તેનો કદી નાશ થતો નથી. અજ્ઞાન અને રાગ-દ્વેષ વગેરે સ્વભાવથી વિપરીત ભાવ ( વિકારી પર્યાય) છે, તેથી
આત્માના આશ્રયે તેનો અભાવ થઈ જાય છે. પ્રશ્ન
૧. દ્રવ્ય કોને કહે છે? ૨. ગુણ કોને કહે છે? તે કેટલા પ્રકારના છે? ૩. સામાન્ય ગુણ કોને કહે છે? તે કેટલા છે? દરેકની પરિભાષા લખો. ૪. વિશેષ ગુણ કોને કહે છે? જીવ અને પુદ્ગલના વિશેષ ગુણ બતાવો. ૫. પર્યાય કોને કહે છે? ૬. દ્રવ્ય-ગુણ-પર્યાયને સમજવાથી શું લાભ છે?
૨૪
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com