________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ખાવાનો ભાવ (ઈચ્છા ) આવે જ નહિ. જ્યારે પંડિતજી કહે છે કે અભક્ષ્યનું ભક્ષણ ન કરો ત્યારે તમારા હિતની જ વાત કહે છે કેમ કે અભક્ષ્ય ખાવાથી અને ખાવાના ભાવથી આત્માનું પતન થાય છે. સુબોધ– તો કયા પદાર્થો અભક્ષ્ય છે?
પ્રબોધ- જે પદાર્થો ખાવાથી ત્રસ જીવોનો ઘાત થતો હોય અથવા ઘણા સ્થાવર જીવોનો ઘાત થતો હોય અને જે સારા માણસોને માટે સેવન કરવા યોગ્ય ન હોય, તે બધી વસ્તુ અભક્ષ્ય છે, એ અભક્ષ્યોને પાંચ ભાગમાં વહેંચી શકાય છે.
સુબોધ- કયા કયા ?
પ્રબોધ ૧) ત્રસઘાત ૩) અનુપસેવ્ય
૨) બહુઘાત ૪) નશાકારક ૫ ) અનિષ્ટકારક
જે પદાર્થો ખાવાથી ત્રસ જીવોનો ઘાત થતો હોય તેને ત્રસઘાત કર્યુ છે. જેમ કે પાંચ ઉભુંબર ફળ, (વડનાં ફળ, પીપળાનાં ફળ, ઉમરડાનાં ફળ, ઠુમર અને અંજી૨) આ પદાર્થોમાં ઘણા ત્રસ જીવોની નિરંતર ઉત્પત્તિ થયા કરે છે અને રહ્યા કરે છે, અને કદી ન ખાવા જોઈએ.
જે પદાર્થો ખાવાથી ઘણા (અનંત ) સ્થાવર જીવોનો ઘાત થતો હોય તેને બહુઘાત કહે છે. બધાં કંદમૂળ જેવાંકે બટાટા, ગાજર, શરિયાં, લસણ, ડુંગળી વગેરે વસ્તુઓમાં અનંત સ્થાવર નિગોદિયા જીવ રહે છે, એને ખાવાથી અનંત જીવોનો ઘાત થાય છે, તેથી એ પણ ન ખાવા જોઈએ.
૧૮
Please inform us of any errors on rajesh@AtmaDharma.com