________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સુબોધ- અને અનુપસેવ્ય? પ્રબોધ- જેનું સેવન ઉત્તમ પુરુષો ખરાબ ગણે, તે લોકનિંદ્ય પદાર્થો જ
અનુપસેવ્ય છે. જેમ કે લાળ, મળ-મૂત્ર આદિ પદાર્થો.
અનુપસેવ્ય પદાર્થોનું સેવન લોકનિંધ હોવાથી તીવ્ર રાગ વિના થઈ શકતું નથી તેથી તે પણ અભક્ષ્ય છે.
જે વસ્તુઓ નશો વધારનારી હોય તેને નશાકારક અભક્ષ્ય કહે છે. જેમ કે દારુ, અફીણ, ભાંગ, ગાંજો તમાકૂ વગેરે. તેથી એનું પણ સેવન ન કરવું જોઈએ.
જેને ખાવાથી શરીરમાં વ્યાધિ ઉત્પન્ન થતી હોય તે અનિષ્ટકારક છે, કારણ કે શરીરમાં વ્યાધિ થતાં આકુળતાનું નિમિત્ત છે અને એવી વસ્તુ
તીવ્ર રાગભાવ વિના ખાવામાં આવતી નથી તેથી તે અભક્ષ્ય છે. પ્રબોધ- ઠીક, આજથી હું પણ કોઈ પણ અભક્ષ્ય પદાર્થનો ઉપયોગ નહિ કરું. હું
તમારો ઉપકાર માનું છું કે તમે મને અભક્ષ્ય ભક્ષણના મહાપાપથી બચાવી લીધો.
પ્રશ્ન
૧. અભક્ષ્ય કોને કહે છે? તે કેટલા પ્રકારના હોય છે? ૨. અનુપસેવ્યનો અર્થ શું સમજો છો? તેના સેવનથી હિંસા કેવી રીતે થાય
છે? ૩. કોઈપણ ચાર બહુઘાતનાં નામ ગણાવો. ૪. નશાકારક અભક્ષ્યનો અર્થ શું સમજો છો?
૧૯
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com