________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રબોધ- સામાન્ય શ્રાવક પણ આઠ મૂળ ગુણના ધારક અને સાત વ્યસનના
ત્યાગી હોય છે. મધનો ત્યાગ આઠ મૂળ ગુણોમાં આવે છે. સુબોધ- મૂળ ગુણ કોને કહે છે? અને આઠ મૂળ ગુણમાં શું શું આવે છે? પ્રબોધ- નિશ્ચયથી તો સમસ્ત પર પદાર્થો ઉપરથી દષ્ટિ ખસેડીને પોતાના
આત્માની શ્રદ્ધા, જ્ઞાન અને લીનતા તે જ મુમુક્ષુ શ્રાવકના મૂળ ગુણ છે; પણ વ્યવહારથી મધત્યાગ, માંસત્યાગ, મઘત્યાગ અને પાંચ ઉદુમ્બર
ફળોના ત્યાગને આઠ મૂળ ગુણ કહે છે. સુબોધ- મત્યાગ કોને કહે છે? પ્રબોધ- શરાબ વગેરે માદક વસ્તુઓના સેવનનો ત્યાગ કરવો તે મત્યાગ છે.
પદાર્થોનો સડો કરીને તે બનાવવામાં આવે છે તેથી એના સેવનથી લાખો જીવોનો ઘાત થાય છે અને નશો ઉત્પન્ન કરવાને કારણે વિવેક નાશ પામીને માણસ પાગલ જેવો થઇ જાય છે, તેથી તેનો ત્યાગ કરવો
પણ અતિ આવશ્યક છે. સુબોધ- અને માંસત્યાગ શા માટે આવશ્યક છે? પ્રબોધ- ત્રસ જીવોની હિંસા વિના માંસની ઉત્પત્તિ થતી નથી અને માંસમાં
નિરંતર ત્રસ જીવોની ઉત્પત્તિ પણ થયા કરે છે. તેથી માંસ ખાનાર અસંખ્ય ત્રસ જીવોનો ઘાત કરે છે, તેના પરિણામ દૂર થઈ જાય છે. આત્મહિત ચાહનાર પ્રાણીએ માંસનું સેવન કદીપણ ન કરવું જોઇએ. ઇંડાં પણ ત્રસ જીવોનું શરીર હોવાથી માંસ જ છે, તેથી તે પણ ન ખાવાં જોઈએ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com