________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સુબોધ- અને પાંચ ઉદુમ્બર ફળ કયા કયા છે?
પ્રબોધ- પીપળનું ફળ, ઉમરડા, અંજીર, વડનાં ફળ અને કઠુંમર આ પાંચ જાતના
ફળોને ઉદુમ્બર ફળ કહે છે. એમાં પણ નિરંતર ત્રસ જીવોની ઉત્પત્તિ થયા કરે છે તેથી પ્રત્યેક વ્યક્તિનું કર્તવ્ય છે કે તે એ પણ ન ખાય.
સુબોધ- મેં પ્રવચનમાં સાંભળ્યું હતું કે આત્મજ્ઞાન વિના તો આ બધાનો ત્યાગ
કાર્યકારી નથી તેથી આપણે પહેલાં તો આત્મજ્ઞાન કરવું જોઇએ ને ?
પ્રબોધ- ભાઇ ! આત્મજ્ઞાન તો મોક્ષનો સાચો માર્ગ છે જ પણ એ બતાવો કે શું
શરાબી કે માંસભક્ષીને પણ આત્મજ્ઞાન થઇ શકે ખરું? માટે આત્મજ્ઞાનની અભિલાષા રાખનાર આઠ મૂળ ગુણ ધારણ કરે છે.
પ્રશ્ન
૧. મધ-ત્યાગ, માંસત્યાગ, મધયાગની સ્પષ્ટતા કરો.
૨. પાંચ ઉદુમ્બર ફળ કયા કયા છે? અને તે શા માટે ન ખાવાં જોઈએ?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com