________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ બીજો
શ્રાવકના આઠ મૂળ ગુણ.
પ્રબોધ- કેમ ભાઇ, આ શીશીમાં શું છે? સુબોધ- મધ. પ્રબોધ- કેમ? સુબોધ- વૈધે દવા આપી હતી અને કહ્યું હતું કે મધ અથવા ખાંડની ચાસણીમાં
ખાજો. તેથી બજારમાંથી મધ લાવ્યો છું. પ્રબોધ- તો શું તમે મધ ખાવ છો? જાણતા નથી કે એ તો મહા અપવિત્ર પદાર્થ
છે. મધમાખીઓનો મળ છે અને ઘણા ત્રસ જીવોના ઘાતથી ઉત્પન્ન થાય
છે. તે કદી પણ ન ખાવું જોઈએ. સુબોધ- ભાઈ, આપણે તો સામાન્ય શ્રાવક છીએ, કાંઇ વ્રતી થોડા જ છીએ ?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com