________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
આત્મભાવના : ૯૧
ઝળહળતા સૂર્યને પણ દેખતા નથી તેમ ઇન્દ્રિયવિષયોમાં જ સુખ માનીને વર્તનારા મોહાંધ અજ્ઞાની જીવો પોતાના આનંદસ્વરૂપ આત્માને દેખતા નથી. તેઓ વિષયોમાં એવા મૂર્છાઈ ગયા છે કે જરાક પાછું વાળીને ચૈતન્ય સામે નજર પણ કરતા નથી. જ્ઞાની જાણે છે કે મેં પણ પૂર્વે અજ્ઞાનદશામાં અનંતકાળ ગુમાવ્યો પણ હવે મને મારા આત્માનું ભાન થયું. હવે મેં મારા અતીન્દ્રિય આનંદનો સ્વાદ ચાખ્યો, હવે મને સ્વપ્નેય બાહ્યવિષયોમાં સુખબુદ્ધિ થવાની નથી. પં. બનારસીદાસજી કહે છે કે
ज्ञानकला जिसके घट जागी ते जगमांही सहज वैरागी ।
ज्ञानी मगन विषयसुखमांही यह विपरीत, संभवे, नांही ॥ આત્માના જ્ઞાનાનંદસ્વભાવનો નિર્ણય થતાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે, અને ઈન્દ્રિયવિષયો નીરસ લાગે. ઈંદ્રિયના વિષયો અજીવ છે ને હું તો જ્ઞાનસ્વરૂપ આત્મા છું-એમ જ્યાંસુધી નથી જાણતો ત્યાંસુધી જીવ અજ્ઞાનપણે બાહ્ય વિષયોને સુંદર માની રહ્યો છે. શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ ઇત્યાદિ બાહ્ય વિષયો જ્ઞાનથી ભિન્ન શેયો છે. હું તો ઉપયોગસ્વરૂપ છું-એવું ભાન થતાં બાહ્ય વિષયોની વૃત્તિ કાળા વિષધરની માફક દુઃખદાયક લાગે છે; ચૈતન્યના રસ પાસે વિષયોનો રસ છૂટી ગયો છે. પહેલાં આવા આત્માનો નિર્ણય કરવો જોઈએ. આત્માનો નિર્ણય કરતાં અતીન્દ્રિય સ્વાદ આવે. પછી જે પુણ્ય-પાપની વૃત્તિ આવે ને બાહ્યવિષયોમાં વલણ જાય, તેમાં ધર્મીને સુખબુદ્ધિ થતી નથી; વિષયોનો રસ ઊડી જાય છે, તે તરફનું જોર તૂટી જાય છે. વિષયો તરફના રાગદ્વેષનો એકાંત સ્વાદ અજ્ઞાનદશામાં લેતો, તેને બદલે હવે જ્ઞાનદશામાં રાગ વગરના આનંદનો સ્વાદ આવ્યો, ને વિષયોના સ્વાદ ઝેર જેવા લાગ્યા એટલે તેનો રસ છૂટી ગયો. આત્માના અતીન્દ્રિય આનંદ પાસે ઇન્દ્રો અને ચક્રવર્તીઓના વૈભવને જ્ઞાની તુચ્છ સમજે છે.
ભગવાન ! એકવાર નિર્ણય તો કર કે હું આનંદકંદ આત્મા Please inform us of any errors on rajesh@AtmaDharma.com