________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૨ : આત્મભાવના છું ને વિષયો મારાથી પર છે-આમ ઉપયોગમાં નિર્ણય કરતાં ચૈતન્યના અતીન્દ્રિય અમૃતનો સ્વાદ આવે છે. તે સ્વાદના આનંદ આગળ ઇન્દ્રના વૈભવો પણ તૂચ્છ ભાસે છે; ઇન્દ્રિયના વિષયો લૂખા લાગે છે. ઇન્દ્રિયવિષયો તરફ વલણ જાય તે દુઃખ છે. ચૈતન્યની સુંદરતા જાણી ત્યાં બીજાની સુંદરતા લાગતી નથી; ચૈતન્યના આનંદમાં જે નમ્યો તે હવે બાહ્ય વિષયો પ્રત્યે અણનમ રહેશે. જેમ લગ્ન વખતે વરરાજાના ગાણામાં ગાય છે કે “નહિ નમશે રે નહિ નમશે. મોટાના છોરૂ નહિ નમશે”-તેમ આ આત્મા જાગ્યો ને “વર' એટલે ઉત્કૃષ્ટ-પ્રધાન એવા આત્માના સ્વભાવમાં આરૂઢ થયો તે વર-રાજા-ચૈતન્યરાજા હવે “નહિ નમશે રે નહિ નમશે, બાહ્યવિષયોમાં નહિ નમશે.” અતીન્દ્રિય ચૈતન્યમાં જે નમ્યો તે દ્રિયવિષયોમાં અણનમ રહેશે,-સ્વપ્નય તેમાં સુખ નહીં માને.
ઉપયોગને અંતરમાં વાળીને જ્યાં ચૈતન્યના શાંતરસને નિર્ણયમાં લીધો ત્યાં વિકાર કે વિષયો પોતાના શાંતરસથી ભિન્ન અગ્નિ જેવા લાગે છે; આત્માના શાંતરસના સ્વાદ સિવાય સમકિતીને બીજા સ્વાદ રુચતા નથી. જેમ શીત પાણીમાં રહેનારૂં માછલું ઊની રેતીમાં આવે ત્યાં દુઃખી થાય છે, તો અગ્નિમાં તો તે કેમ રહી શકે? પાણીમાં જ જે પોષાણું તેને પાણી વિના બહારમાં કેમ ગોઠે? તેમ આત્માના ચૈતન્ય-સરોવરના શાંત જળમાં કેલિ કરનાર સમકિતી હંસને ચૈતન્યના શાંતરસ સિવાય બહારમાં પુણ્ય-પાપની વૃત્તિની કે ઇન્દ્રિય-વિષયોની રુચિ ઊડી ગઈ છે; ચૈતન્યના આનંદનો એવો નિર્ણય (વેદન સહિત) થઈ ગયો છે કે બીજા કોઈ વેદનમાં સ્વપ્નય સુખ લાગતું નથી–આવી સમકિતીની દશા છે.
આ સંબંધમાં શ્લોક કહ્યો છે કેPlease inform us of any errors on rajesh@AtmaDharma.com