________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના : ૯૩
जायन्ते विरसा रसा विघटते गोष्ठी कथा कौतुकं शीर्यन्ते विषयास्तथा विरमति प्रीतिः शरीरेऽपि च। जोषं वागपि धारयंत्यविरतानंदात्मन: स्वात्मनश्चिंतायामपि यातुमिच्छति मनो दोषैः समं पंचताम्।।
અહો! આ ચૈતન્યસ્વરૂપ આત્માના ચિંતનમાત્રથી પણ રસો વિરસ થઈ જાય છે, ગોષ્ટી-કથાનું કૌતુક ઊડી જાય છે, વિષયોનું વિરેચન થઈ જાય છે અને શરીર ઉપરથી પણ પ્રીતિ વિરમી જાય છે. વાણીનું જોસ વિરમી જાય છે, ને મન પણ સમસ્ત દોષસહિત પંચત્વને પામે છે, એટલે કે ચૈતન્યના ચિંતનથી મનસંબંધી સમસ્ત દોષો નાશ પામી જાય છે, ને આત્મા અવિરતપણે આનંદને ધારણ કરે છે.-આવો ચૈતન્યના ચિંતનનો મહિમા છે.
જ્ઞાનીનેય શુભાશુભરાગ આવે પણ અંતરમાં ચૈતન્યના રસ આડ તેનો રસ ઊડી ગયો છે. જ્ઞાનીને રાગ થાય ત્યાં અજ્ઞાનીને એમ લાગે છે કે એને રાગની રુચિ હશે! પણ તે વખતે અંદર રાગથી અત્યંત પાર એવા જ્ઞાનરસનો નિર્ણય જ્ઞાનીને વર્તે છે તે નિર્ણયની અજ્ઞાનીને ખબર નથી. જ્ઞાની રાગમાં એકતાપણે પરિણમતા જ નથી. શુભરાગ વખતે સર્વજ્ઞદેવની ભક્તિ વગેરેનો ભાવ આવે ત્યાં વીતરાગતા પ્રત્યેના બહુમાનનો ભાવ ઊછળ્યો છે ને રાગની રુચિ નથી,પણ તે અંતરના નિર્ણયને અજ્ઞાની ઓળખતો નથી, ને “આરંભ-પરિગ્રહુ વધી થયો છે એમ અજ્ઞાની બાહ્યદૃષ્ટિથી દખે છે. પણ ચૈતન્યના અકષાય સ્વભાવને ચૂકીને રાગાદિમાં ધર્મ માનવો તે જ અનંત આરંભ-પરિગ્રહુ છે; જ્ઞાનીની દષ્ટિમાં કષાયના એક અંશની પણ પકડ રહી નથી, ને પરિગ્રહમાં કયાંય એકતાબુદ્ધિ નથી, બહુ જ અલ્પ રાગ-દ્વેષ રહ્યા છે તેથી તેને આરંભ-પરિગ્રહ ઘણો અલ્પ છે. ચક્રવર્તી–સમકિતીને છ ખંડનો રાજવૈભવ હોવા છતાં ઘણો અલ્પ આરંભ-પરિગ્રહ વર્તે છે; અને મિથ્યાદષ્ટિ દ્રવ્યલિંગી થઈને પંચમહાવ્રત પાળે, બાહ્યમાં હિંસાદિ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com