________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯) : આત્મભાવના અતીન્દ્રિય આત્મસ્વભાવ તરફ ઝૂકે છે તે તો પોતાના અતીન્દ્રિયસુખને અનુભવે છે, અને જે જીવ બાહ્ય વિષયોમાં સુખ માનીને ઇન્દ્રિયવિષયો તરફ ઝૂકે છે તે ઘોર સંસારના દુઃખને પામે છે. સામસામા બે માર્ગ છે-(૧) અતીન્દ્રિયસ્વભાવને ચૂકીને ઇંદ્રિયવિષયો તરફ ઝૂકાવ તે સંસારમાર્ગ છે. અને (૨) ઇન્દ્રિયવિષયોમાં સુખબુદ્ધિ છોડીને અંતરના જ્ઞાનાનંદસ્વભાવમાં ઝૂકાવ તે મોક્ષમાર્ગ છે.-જ્યાં ગમે ત્યાં જાવ.
ध्यानहीना न पश्यंति जात्यंधा इव भास्करम्
અહો, આત્મામાં આનંદના નિધાન ભર્યા છે તે સંતો દેખાડ છે; પણ અજ્ઞાનથી અંધ થયેલા મૂઢ જીવો પોતાના આનંદનિધાનને દેખતા નથી.
आनंदं ब्रह्मणो रुपं निजदेहे व्यवस्थितम्। ध्यानहीना न पश्यंति जात्यंधा इव भास्करम्।
(-પરમાનંદસ્તોત્ર) અહો, નિજદેહમાં રહેલો આ જ્ઞાનસ્વરૂપ આત્મા પોતે જ આનંદસ્વરૂપ છે, આનંદ જ તેનું રૂપ છે, પણ અંતરમાં લક્ષ કરીને આંખ ઉઘાડે તો દેખાય ને? જેમ જન્માંધ મનુષ્યો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com