________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
આત્મભાવના : ૮૯
આત્માના સ્વભાવનું ભાન થતાં અંદર કૃતકૃત્યતા વેદાય છે. અહો, મારી પ્રભુતા મારામાં છે, મારી પ્રભુતાને હું અત્યાર સુધી ભૂલ્યો, તેથી રખડયો; મારા આનંદસ્વરૂપથી દ્યૂત થઈને વિષયો તરફના ઝંપાપાતથી હું દુ:ખી જ થયો. પણ હવે મને મારા આત્માની અપૂર્વ પ્રાપ્તિ થઈ. આવા આત્માની પ્રાપ્તિ એટલે કે શ્રદ્ધા-જ્ઞાનરમણતા તે સમાધિનું કારણ છે. ભગવાનની સ્તુતિમાં ભગવાન પાસે વરદાન માગે છે કે “ સમાહિવરમુત્તમં વિન્તુ” હે ભગવાન! મને સમાધિનું ઉત્તમ વરદાન આપો. એ સમાધિ કેમ થાય તેની આ વાત છે.
ck
વર્તમાન અપૂર્વ દશા સહિત પોતાની પૂર્વ દશાને પણ અંતરાત્મા વિચારે છે કે અરેરે! ઇન્દ્રિયવિષયોમાં મેં અનંતકાળ વીતાવ્યો છતાં તેનાથી અંશમાત્ર તૃપ્તિ ન થઈ, પણ હવે વિષયાતીત અતીન્દ્રિય જ્ઞાનસ્વભાવને જાણતાં અપૂર્વ તૃપ્તિ થઈ ગઈ. વર્તમાનમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો ત્યારે પૂર્વના ઇન્દ્રિય-વિષયો પ્રત્યેથી ઉદાસીનતા થઈ ગઈ ને એમ વિષાદ થયો કે અરેરે! મારા ચૈતન્યઆનંદને ચૂકીને પૂર્વે ઇન્દ્રિયવિષયોમાં મેં વ્યર્થ અનંતકાળ વીતાવ્યો.
જેણે આત્માના અતીન્દ્રિય અમૃતનો સ્વાદ ચાખ્યો તેને વિષયો વિષ જેવા લાગે છે...૫૨ વિષયો તરફની લાગણી તેને દુઃખરૂપ લાગે છે, આત્માના નિર્વિકલ્પ આનંદના વેદન સિવાય બીજે કયાંય તે પોતાનો આનંદ સ્વપ્નેય માનતો નથી. જેને વિષયોની મીઠાશ લાગતી હોય કે રાગની મીઠાશ લાગતી હોય તેણે અતીન્દ્રિય આત્માના વીતરાગી અમૃતનો સ્વાદ ચાખ્યો નથી.
એક તરફ અંતરમાં અતીન્દ્રિય આનંદનો સાગર આત્મા છે; બીજી તરફ બાહ્યમાં સુખ વગરના ઇન્દ્રિયવિષયો છે; ત્યાં જેમાં સુખ માને તે તરફ જીવ ઝૂકે છે. જે જીવ અંતરમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com