________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮) : આત્મભાવના
દેહને આત્મા માનવો તે ભ્રમણા છે, તે ભ્રમણા મિથ્યાત્વ છે, મિથ્યાત્વ તે મોટો કષાય છે, તે કપાયરૂપી હોળીમાં બહિરાત્માઓ સળગી રહ્યો છે; શાંતસ્વરૂપ ચૈતન્યને ભૂલીને કષાય-અગ્નિમાં બળીજળીને બિચારા દુઃખી થઈ રહ્યા છે, અરેરે! તેઓ ઠગાઈ રહ્યા છે.ભાવમરણમાં મરી રહ્યા છે. માટે અરે જીવો! તમે સમજો કે દેહાદિ બાહ્ય પદાર્થો આત્માના નથી, આત્મા તો તેમનાથી જુદો જ્ઞાન ને આનંદસ્વરૂપ છે; આવા આત્માને જાણે-માન્ય-અનુભવે જ દુઃખ ટળીને શાંતિ-સમાધિ થાય છે.
- આત્માને સમાધિ કેમ થાય એટલે કે શાંતિ કેમ થાય, આનંદ કેમ થાય, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર કેમ થાય–તેની આ વાત છે.
દેથી ભિન્ન ચિદાનંદસ્વરૂપ આત્મા છે-તેના જ અવલંબને શાંતિ-સમાધિ થાય છે. દેહ તે જ હું છું-એમ શરીરમાં આત્મબુદ્ધિ કરે છે ને અંતરના ચૈતન્યસ્વરૂપમાં પ્રવેશ કરતો નથી તેથી જીવને શાંતિ- સમાધિ થતી નથી. ચૈતન્યસ્વરૂપમાં પ્રવેશવાનો પ્રયાસ કરે તો જ શાંતિ –સમાધિ થાય. જેમ ઘરમાં મહાવૈભવ ભર્યો હોય પણ જો ઘરમાં પ્રવેશ ન કરે-તે તરફ મુખ પણ ન ફેરવે ને બીજી તરફ મુખ રાખે તો તેને તે વૈભવ કયાંથી દેખાય? તેમ આત્મા ચૈતન્યઘરમાં જ્ઞાન-આનંદ-શાંતિનો અચિંત્ય વૈભવ ભર્યો છે પણ જીવ તેમાં પ્રવેશ નથી કરતો-તે તરફ મુખ પણ નથી કરતો ને બહિર્મુખ રહે છે તેથી તેને પોતાના નિરાકુળ આનંદનો સ્વાદ આવતો નથી; પોતાની ચૈતન્યસંપત્તિનું તેને ભાન નથી ને બહારની જડસંપત્તિને જ આત્માની માને છે, તેથી તે દુઃખી છે. અરે, ખેદ છે કે બાહ્યસંપદાને પોતાની માનીને જીવો પોતાની અચિંત્ય ચૈતન્ય સંપદાને ભૂલી રહ્યા છે પણ
લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું તે તો કહો? '
બારમાં સંપત્તિ વધે ત્યાં જાણે કે મારી વૃદ્ધિ થઈ, ને સંયોગ છૂટે ત્યાં જાણે મારો આત્મા હણાઈ ગયો-આ પ્રમાણે અજ્ઞાનીને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com