________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના : ૭૯
દેહાદિકને પોતાની સંપત્તિ માનનારને
હુત” કહીને આચાર્યદેવ તે દેહબુદ્ધિ છોડાવે છે -
હવે ચૌદમી ગાથામાં આચાર્યદેવ કરુણાબુદ્ધિથી કહે છે કે અરે! જ્ઞાનાનંદસ્વરૂપ પોતાના આત્માને ચૂકીને આ જગત બહારમાં દેહને જ પોતાનો માનીને તથા સ્ત્રી-પુત્ર-સંપત્તિ વગેરે બાહ્ય પદાર્થોને પણ પોતાના માનીને નિંદનીય પ્રવૃત્તિ કરે છે. દી તું ન! ' અરે ખેદ છે કે પોતાની ચૈતન્યસમૃદ્ધિને ભૂલેલું આ જગત બાહ્ય સંપત્તિમાં મૂર્ણાઈ પડ્યું છે! પોતે બહિરાત્મબુદ્ધિના અનંત દુઃખથી છૂટીને ચિદાનંદતત્ત્વને જાણ્યું છે, અને જગતના જીવો પણ આવા આત્માને જાણીને બહિરાત્મબુદ્ધિના અનંત દુઃખથી છૂટે એવી કરુણાબુદ્ધિથી પૂજ્યપાદસ્વામી કહે છે કે –
देहेष्वात्मधिया जाताः पुत्रभार्यादिकल्पनाः। सम्पत्तिमात्मनस्ताभिर्मन्यते हा! हतं जगत्।।१४।।
દેહમાં આત્મબુદ્ધિને લીધે આ મારો પુત્ર, આ મારી સ્ત્રી, આ મારો પતિ, આ મારાં માતાપિતા, આ મારો ભાઈ, આ મારી બેનએવી કલ્પના બહિરાત્માને થાય છે, તેમ જ બહારમાં પ્રત્યક્ષ જુદા દેખાતા ઘર-દાગીના-લક્ષ્મી-વસ્ત્ર વગેરેને પણ આત્માની સંપત્તિ માને છે-“ી હતં નાત! ' અરેરે! જગત બિચારું ભ્રમણાથી ઠગાઈ રહ્યું છે. ખેદ છે કે ચૈતન્યની આનંદ-સંપદાને ભૂલીને જગતના બહિરાત્મજીવો બહારની સંપત્તિને જ પોતાની માનીને હણાઈ રહ્યા છે; આત્માની સુધબુધ ભૂલીને આ જગત અચેત જેવું થઈ ગયું છે, તેને દેખીને સંતોને કરુણા આવે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com